________________
વાયના
બોરીવલી પશ્ચિમ મહા વદ ૬ ૬-૨-૮૦
નિર્મળ સિદ્ધશિલાની ઉપરે જોયણ એક લોગંત; સાદિ અનંત સ્થિતિ તિહાં જેહની
તે સિદ્ધ પ્રણામો સંતરે ભવિકા સિદ્ધ) ચૌદ રાજલોકને અંતે એટલે સિદ્ધશિલાની ઉપર એક જોજને સિદ્ધ ભગવંતો રહેલા છે. તે સિદ્ધ-શિલા નિર્મળ સ્ફટિકરત્નની ૪પ લાખ જોજન લાંબી પહોળી છાલિયા જેવી છે, બીજના ચંદ્રના આકારની છે. તેની ઉપર સિદ્ધાત્માઓ લોકાન્ત સૌથી ઉપરનો આત્મ-ભાગ અડે તે રીતે રહ્યા છે, કારણ કે અસંગ બનેલા જીવની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે.
લોકના છેલ્લા ભાગે આત્માનો ઉપરનો ભાગ અડકીને રહે તે પ્રમાણે અહીં મુક્ત થયેલા ત્યાં સિદ્ધશિલા પર જઈને રહે.
સિદ્ધોની સ્થિતિ સાદિ અનંત છે. “સાદિ' એટલે આદિવાળા, સિદ્ધ થયા ત્યારથી આદિ-શરૂઆત થઇ, અને હવે પછી “અનંતએટલે શાશ્વત કાળ માટે ત્યાં સ્થિરતા છે.
શ્રી ઋષભદેવના સ્તવનમાં કહ્યું છે કે “રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત; ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે ઓર ન ચાહું રે કંત.”
સંબંધના ભાંગા ચાર છે : ૧. સાદિ સાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org