SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ પ્રકાશ બાધક તત્ત્વો સંપૂર્ણ હટી જાય ત્યારે આત્મા કૃતકૃત્ય બને. બાધક તત્ત્વ છે ત્યાં સુધી એને હટાવવાનું કૃત્ય ઊભું છે; માટે એ કૃતકૃત્ય નહિ. અથવા કહો, જે કરવાનું હતું તે કરી લીધું, હવે કરવાનું કે સાધવાનું કશું જ બાકી રહેતું નથી, તેથી સદાને માટે એ કૃતકૃત્ય બની ગયા. ૧૨ જ્યાં સુધી સંસારી છીએ, ત્યાં સુધી કૃતકૃત્ય થયા નથી. નૃત્ય કૃત એટલે કે પૂરાં થયા નથી. સંસારી છીએ તો મૃત્ય ઊભા રહેવાનાં. - સંસારનું ગમે તેટલું કરો, તોય કૃત્ય કરવાનું ઊભું ૨ વાનું દા. ત. ગમે તેટલું ખાઓ, પીઓ, ચાલો, ઊંઘો, તોય ખાવાનું – પીવાનું - ચાલવાનું – ઊંઘવાનું ઊભું રહે છે. તેથી વિવેકી જીવોને ગ્લાનિ થાય છે, ‘હાય! આ સૂવાનું, આ ખાવાનું, આ પીવાનું આ ચાલવાનું હંમેશ ચાલુ ? હવે આ બલામાંથી કયારે છૂટાય ? કૃતકૃત્ય થાઉં તો છૂટાય.’' હંમેશ માટે સિદ્ધ કેમ ? તો-કે ‘સિત' એટલે બાંધેલાને ‘ધ' એટલે ધમી નાખ્યા બાળી નાખ્યા, તેથી સિદ્ધ. બધા કર્મોને જડ મૂળમાંથી બાળી નાખ્યા છે, તેથી હંમેશ માટે સિદ્ધ, . પ્ર૦- પણ પછી નવાં કર્મ નહિ ઊભા થાય ? ઉ૦- જૂનાં કર્મો ઊભાં હોય તો જ નવાં કર્મો ઊભાં થાય, પણ કર્મ જ બધાં ૨વાના કર્યા, હવે નવાં કર્મ ઊભાં શાના પર થાય ? અથવા ‘સિદ્ધ' એટલે કૃતકૃત્ય, તે એટલા માટે થાય કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy