SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ --- - /N છે : અંદરના ભાગમાંથી ઉત્તર દ્વારથી નીકળી પૂર્વ દિશામાં રહેલા સ્ફટિક રત્નમય દેવછંદકની અંદર સુખપૂર્વક સમાધિથી રહે છે, (બૃ.ક.૧૨૧૪) (મતાંતર - બીજા પ્રકારમાં ઇશાન વિદિશામાં રહેલ દેવચ્છેદકમાં યથાસુખ-સમાધિથી રહે છે. સમવસરણ સ્તવના) અશોકવૃક્ષની નીચે દેવજીંદામાં પાદપીઠ સહિત ચાર સિંહાસન હોય છે. (.ક.૧૧૮૦) ( હવે બીજી પોરસીમાં શું થાય છે? તે જણાવાય છે. ] ભગવંત સિંહાસન પરથી ઊઠીને જાય છે, પછીથી તીર્થ = પ્રથમ ગણધર અથવા બીજા કોઈ ગણધર મધર્મ દેશના ફરમાવે છે. પ્રશ્ન :- ખુદ ભગવાન જ શા માટે દેશના ચાલુ નથી રાખતા ? શું ગણધર મહારાજ દેશના આપે તો કાંઈ લાભ છે? ગુણો છે? જવાબ :- હા છે. સાંભળો ! ભગવાનના પરિશ્રમનો વિશ્રામ થાય છે. • “અહો! આ ભગવંતના શિષ્યો પણ આ પ્રકારના વ્યાખ્યાન લબ્ધિવાળા છે!' એ પ્રમાણે શિષ્યના ગુણની ખ્યાતિ થાય છે. ગૃહસ્થ શ્રોતાઓ અને સંયમી શ્રોતાઓ એમ બન્નેને વિશ્વાસ થાય છે કે ખરેખર જેવું ભગવાને ફરમાવ્યું તેવું ગણધર મહારાજ પણ ફરમાવે છે, શિષ્ય અને ધર્માચાર્યમાં પરસ્પર વચન વિરોધ નથી. • ભગવાને જેવું ફરમાવ્યું એવું જ ગણધર મહારાજ ફરમાવે છે એવું સાંભળનારને “ભગવાન અન્યથાવાદી નથી પણ યથાસ્થિત વસ્તુવાદી છે” એવો વિશ્વાસ ભગવાન ઉપર ઉત્પન્ન થાય છે. • ધર્માચાર્ય-શિષ્યનો કમ પણ દર્શાવાય છે, “આચાર્ય પાસેથી સાંભળીને યોગ્ય શિષ્ય એમનું જણાવેલું વ્યાખ્યાન કરવું જોઇએ. એ ક્રમ બતાવાયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004980
Book TitleSamavsarne Betha Lage je Jinji Mitha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy