SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ઇભ્ય એટલે હાથીની યોગ્યતાવાળો. જેની પાસે રહેલા સુવર્ણ આદિ દ્રવ્યનો ઢગલો એટલો મોટો હોય કે એની પાછળ રહેલો હાથી પણ દેખી ન શકાય તે, અથવા આનાથી પણ અધિક દ્રવ્યવાળો હોય તે ઇલ્ય કહેવાય. પ્રશ્ન :- આ રીતે વૃત્તિદાન અને પ્રીતિદાન આપનાર વ્યકિતને શું લાભ=ફાયદો? જવાબ :- આ પ્રમાણે ચક્રવર્તીઓ વગેરે જે કરે છે તેનાથી તેઓ દેવોનું અનુકરણ કરનારા બને છે; કારણકે દેવો પણ ભગવાનની પૂજા કરે છે. આ પ્રમાણે દાન આપનારને ભગવાનની પૂજા - ભકિત થાય છે અને એથી એમને મહાન પરિતોષ થાય છે. - તીર્થંકર ભગવાનની પૂજા થયે છતે અભિનવ શ્રદ્ધાળુઓનું ભગવંતની પૂજામાં સ્થિરીકરણ થાય છે; – ભગવાનની પ્રવૃત્તિ જણાવનાર માણસો પર અનુકમ્પા કર્યાનો લાભ મળે છે; - એમને વિશિષ્ટ દિવ્ય-મનુષ્ય સુખના ઉપભોગ ફળવાળાં શાતા વેદનીય કર્મનો બંધ થાય છે; - શાસનની પ્રભાવના કર્યાનો લાભ મળે છે. ‘અહો આ લોકોનો જૈન ધર્મ કેટલો મહાન કે જયાં સ્વદેવ અને સ્વગુરુની ભકિત માટે આટલી બધી ઉદારતા કરાય છે!' એવો પ્રશંસાવાદ લોકમાં પ્રસરે છે. પહેલી પોરસીની દેશના બાદ શું થાય છે ? ભગવાન પહેલી સંપૂર્ણ પોરસી ધર્મદેશના આપે છે. ત્યાર બાદ દેવમાલ્ય = બલિનો પ્રવેશ થાય છે. એના પ્રવેશ વખતે જ પ્રભુ પોતાની દેશના પૂર્ણ કરે છે. બલિના પ્રક્ષેપ બાદ ભગવંત ઊભા થાય છે અને પ્રથમ ગઢના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004980
Book TitleSamavsarne Betha Lage je Jinji Mitha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy