SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 24 હો છે. (બુ.ક. ૧૨૦૧-૧૨૦-૧૨૦૩) આ કારણોથી ભગવંત એકી સાથે કહે છે, એ નિઃશંક છે, નિશ્ચિત્ત છે. આ પ્રભુજીનો વચનાતિશય છે. પ્રશ્ન :- ભગવંતની વાણી તિર્યંચો-મનુષ્યો-દેવો વગેરેને પોત પોતાની ભાષામાં અને સર્વ સંશયોને દૂર કરવામાં કેવી રીતે પરિણમે? જવાબ :- મેઘની વૃષ્ટિનું પાણી એકરૂપ હોય છે એટલે કે એના વર્ણ-રસ ગંધ-સ્પર્શ એકરૂપ હોય છે, છતાં ભૂમિની આધારની સવિશેષતાથી એ વિચિત્ર બને છે. જેમ કે કાળી-સુગંધીદાર માટીમાં મેઘનું પાણી પડે તો સ્વચ્છ-સુગંધી-સરસ બને છે અને ઉખરભૂમિમાં પડે તો અસ્વચ્છ, દુર્ગધી-વિરસ હોય. આ રીતે બધા જ શ્રોતાઓને ભગવાનની વાણી પોતપોતાની ભાષામાં પરિણામ પામે છે સંભળાય છે. (વર્તમાનમાં યુનોની મહાસભામાં અલગ અલગ દેશના અલગ અલગ ભાષાના જાણકારને ગમે તે ભાષા બોલાતી હોય છતાં મશીન દ્વારા પોત-પોતાની ભાષામાં સમજી શકાય છે. એ મશીનની કામગીરી છે. આ મશીન કરતાં ભગવંતની વગર મશીને આવું કરવાની કેવી કરામત? કેટલું અદ્વિતીય! કેટલું અનુત્તર?) (બૃ.ક. ૧૨૦૪) ૨ :: હવે તીર્થંકર પ્રભુની વાણીના સૌભાગ્ય ગુણ જણાવાય છે. સાધારણા = સર્વ સંશી પ્રાણીઓની ભાષાઓમાં સામાન્ય અથવા તો એકઠા થયેલા દુધ-સાકર આદિ દ્રવ્યો જેમ સુસ્વાદિષ્ટતા ગુણથી સાધારણ બને તેમ ભગવંત વાણી પણ અત્યંત સુસ્વાદને કારણે સાધારણ હોય છે, અથવા નરકાદિમાં પડતાં પ્રાણીઓને જે સારી રીતે ધારણ કરી રાખે છે, આધારવાળા કરે છે=રક્ષણ કરે છે એટલે સાધારણા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004980
Book TitleSamavsarne Betha Lage je Jinji Mitha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy