SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ એક સ્થૂલથી થયેલ કથન હોય એમ લાગે છે, અન્યથા સંજવલન લોભના બંધવિચ્છેદ વખતે બે લોભમાંથી તત્કાળ સંક્રમથી આવેલ પ્રાચીન દલિક પણ અનુપશાંત મળવાથી • ઉદયાવલિકા સિવાયનું કોઇ પ્રાચીન દલિક અનુપશાંત હોય નહીં એવા નિયમનો ભંગ થાય. તેથી એની પતદ્મહતાનો નાશ પણ સંજવલન કોધ વગેરેની જેમ બંધવિચ્છેદ પૂવે સમયગૂન બે આવલિકાએ માનવો યોગ્ય છે. વળી ઉપશમનાકરણમાં ચારિત્ર મોહોપશમના અધિકારમાં એ મુજબ જ જણાવેલ પણ છે. જૂઓ ઉપશમના કરણ ગાથા પર-પ૩ ની ચૂર્ણિ– “તસે હિરદ્ધા તિ, आवलियासु समयूणासु सेसासु दुवे लोहा संजलणाए ण संकमंति, सत्थाणे चेव उवसामिज्जति । અર્થ: તે કિટીકરણ અળાની સમયજૂન ૩ આવલિકા શેષ હોય ત્યારે અપ્રાત્યા પ્રત્યા૦ લોભ સંજવલન લોભમાં સંક્રમતા નથી. કિન્તુ સ્વાસ્થાનમાં જ ઉપશાંત થાય છે. પ્રશ્ન - ૮:- “સખ્યત્ત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બન્ને પ્રકૃતિઓ મૂળ મિથ્યાત્વમોહનીય પ્રકૃતિની જ અવસ્થાવિશેષ છે, પણ સર્વથા સ્વતંત્ર પ્રકૃતિઓ નથી' એવી માન્યતાનું સમર્થન થઇ શકે છે? ઉત્તર - ૮ :- એવું સમર્થન કરનારી કેટલીક બાબતો નીચે મુજબ છે – આ બન્ને પ્રકૃતિઓનો બંધ થતો નથી, પણ સમયજ્ય સ્વરૂપ વિશુદ્ધિના કારણે મિથ્યાત્વના દલિકોમાંસની વિશિષ્ટ અપવર્તનથઇઆબે પ્રકૃતિઓ અસ્તિત્વમાં આવે છે. સમ્યકત્વ મોહનીયના રસસ્પર્ધકો પૂર્ણ થયા પછીના સ્પર્ધકથી મિશ્રના સ્પર્ધકો શરુ થાય છે અને એનાઉન્ટ સસ્પર્ધક પછીના સ્પર્ધકથી મિથ્યાત્વના રસસ્પર્ધકો શરુ થાય છે યાવત ઉક્ટ સુધી હોય છે. એટલે મૂળ એક જ પ્રકૃતિના રસના ત્રણ વિભાગ કરી ત્રણ નામો આપ્યા છે એમ કહી શકાય. સમ્યક્ત અને મિશ્ર બધ્યમાન ન હોવા છતાં એમાં મિથ્યાત્વ સંક્રમે છે. આની સંગતિ પણ આ રીતે થઈ શકે કે એ રસાયવર્તના રૂપ છે અને અપવર્તનામાં બંધની અપેક્ષા હોતી નથી. જ્યારે ઉદ્દવર્તનામાં બંધની અપેક્ષા હોવાથી મિથ્યાત બંધાતું ન હોય ત્યારે રસોવર્ધનારૂપ સગર્ઘ-મિશ્રનો મિથ્યાત્વમાં સંક્રમ થતો નથી. મોહનીયની અન્ય પ્રવૃતિઓમાં સર્વોપશમ થયે પરપ્રકૃતિમાં સંક્રમ થતો ન હોવા છતાં દર્શનમોહમાં થાય છે. એટલે એમ કહી શકાય કેમિથ્યાત્વ અને મિશ્ર જે મિશ્ર અને સમ્યક્નમાં સંક્રમે છે તે રસઅપવર્તના છે, પરપ્રકૃતિ સંક્રમ નથી, કારણ કે છેવટે આ ત્રણેય મૂળ એક જ પ્રકૃતિ સ્વરૂપ છે. ૪ સંક્રમકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy