SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વૈક્રિયષટક્ના જઘન્ય સ્થિતિબંધક અસંજ્ઞીપંચેન્દ્રિય જીવો છે. તેઓનો સ્થિતિબંધ એકેન્દ્રિય કરતાં હજારગુણો હોય છે. એટલે અસંજ્ઞીપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦૦૦ ૭ સાગરોપમ છે. વળી એના સ્થિતિસ્થાનો P/s હોય છે. માટે જઘન્ય સ્થિતિબંધ ૨૦૦૦/૭ સાગરોપમમાંથી પલ્યોપમનો સંખ્યામાં ભાગ બાદ કરવાથી આવે એ સ્પષ્ટ છે. ચૂર્ણિકારને પણ એ જ અભિમત છે. જેમ કર્મપ્રકૃતિસંગ્રહણી અને અંધશતક મૂળના કર્તા એક જ છે તેમ બનેની ચૂર્ણિના કર્તા પણ એક છે એવી કલ્પના બન્નેની ચૂર્ણિનો સમાન રીતે થતો પ્રારંભ, સમાનરચના પદ્ધતિ વગેરે પરથી સુકર છે. બંધશતની ચૂર્ણિમાં ચૂર્ણિકારે પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઓછો કરવાનું સ્પષ્ટશબ્દોમાં કહેલ છે. જૂઓ ૫૧મી ગાથાની ચૂર્ણિदेवगइनिरयगइवेउव्वियसरोरवेठब्वियअंगावंगणिरयदेवाणुपुत्वोणं एएसि कम्माणं जहन्नगा ठिइबंधो सागरोवमस्स बेसत्तभागा सहरसगुणिया पलिओवमरस संखज्जतिभागणूणया, अंतोमुत्तमबाहा ॥ (પુસ્તકાકાર . ૭૧). પ્રશ્ન - ૬૦ :- એકેન્દ્રિયાદિમાંથી સંજ્ઞીમાં ઉત્પન્ન થતા જીવને વિગ્રહગતિમાં કેટલો સ્થિતિબંધ હોય છે? ઉત્તર-૬૦ :- સામાન્ય નિર્દેશ મુજબ તો એ અંત: કોડા કોડ હોવો સંભવે છે. તેમ છતાં, અસંજ્ઞીમાંથી નરકમાં જતાં જીવને વિગ્રહગતિમાં ૨૦૦૦/૭ સાગરોપમ બંધ કહ્યો છે. તેના પરથી અને અન્ય અનેક સ્થળોના પ્રતિપાદન પરથી જણાય છે કે એકેન્દ્રિયાદિમાંથી સંજ્ઞીમાં ઉત્પન્ન થતાં જીવને વિગ્રહગતિમાં અસંક્ષીપંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ જ હોવો જોઇએ. શંકા - અસંસીમાંથી નરકમાં જતાં જીવને જેમ પૂર્વભવીય અસંક્ષીપ્રાયોગ્ય બંધ કહ્યો છે તેમ એકે. માંથી સંજ્ઞીપંચેન્દ્રિયમાં જતા જીવને વિગ્રહગતિમાં પૂર્વભવીય એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કહો ને, અસંશી પંચેન્દ્રિય પ્રાયોગ્ય શા માટે કહો છો? સમાધાન - એ જીવ એકેન્દ્રિયમાંથી આવતો હોવા છતાં વિહગતિમાં પણ પંચેન્દ્રિય નામકર્મનો ઉદય થઇ ગયો હોવાથી પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ તો એને હોય જ છે. પણ તેમ છતાં મનપર્યાપ્તિનો હજુ પ્રારંભ થયો ન હોવાથી સંજ્ઞી પ્રાયોગ્યબંધ હોતો નથી. માટે અસંક્ષીપંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ હોય છે. વળી જેવો ઉત્પતિદેશે આવી છએ પર્યાપ્તિઓનો પ્રારંભ કરશે કે તરત જ એનોસ્થિતિબંધ સંજ્ઞી પંચેન્દ્રિય કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy