SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિસત્તાસ્થાનોમાં આ ત્રણેય પ્રકારના આંતરા મળે છે. દેશોન પલ્યોપમનું ૧ વાર, P/s નું હજારોવાર અને P/a નું હજારોવાર આંતરું મળે છે એ જાણવું. વળી ત્યારબાદ કેટલાક કર્મોમાં સંખ્યાતા વર્ષ આયામવાળા અને છેવટે અંતર્મુહૂર્ત આયામવાળા પણ સ્થિતિઘાતો થાય છે. એટલે એ કમોમાં આટલું-આટલું આંતરું પણ મળે છે તે જાણવું. વળી ઉપલક્ષણથી અહીં એ પણ જાણવા યોગ્ય છે કે સમ્યક્વમોહનીય વગેરે જે પ્રકૃતિઓની અનિવૃત્તિકરણ વિના પણ ઉદ્વેલના થાય છે તે પ્રકૃતિના એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાસ્થાન કરતાં નીચે પણ નિરંતર સત્તાસ્થાન મળવા જોઈએ. અનિવૃત્તિ કરણે બધા જીવોના એક સરખા પરિણામો હોવાથી દરેકને એક સરખા જ ઉદવેલના-સ્થિતિઘાતના ખંડો ઉકેરાતા હોવાથી સમાન રીતે સાન્તર સ્થિતિસત્તા સ્થાન મળે છે. પણ અનિવૃત્તિકરણસિવાયની અવસ્થામાં તો જીવોના વિચિત્ર પરિણામો હોય છે. અને તેથી તે તે સ્થાને જુદા જુદા જીવો જે ખંડોને ઉવેલે છે તે બધા જીવોને એક સરખા ન રહેતાં નાના-મોટા આયામવાળા હોય છે. તેથી એકજીવને ઉવેલનાથી સ્થિતિસત્તાસ્થાનોમાં જે આંતરું મળે છે તેમાં બીજા જીવોને નિરંતર સ્થિતિ સત્તા સ્થાનો મળી શકે છે. આમ થવાથી, તે તે ઉકેલાતી પ્રકૃતિનો ઉલાતો ચરમખંડ જઘન્યથી જેટલા આયામવાળો હોય (સંભવિત જઘન્ય P/a) એટલા સત્તાસ્થાનોને છોડીને શેષ તો બધા સત્તાસ્થાનો અને જીવાપેલયા નિરંતર મળવા જ જોઈએ. ત્યારબાદ આ સંભવિત જઘન્ય PPય સુધીમાં ક્ષપને જે રીતે સ્થિતિઘાત વગેરેથી સાનર-નિરંતર સત્તાસ્થાનો મળે એ રીતે શેષ સતાસ્થાનો જાણવા જોઈએ. જો કે મન્થકારે આ રીતે જણાવ્યું નથી. એટલે એકેન્દ્રિયપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા સ્થાનથી નીચે પણ, સાન્તર-નિરંતર સત્તાસ્થાનો જ મળતા હોય તો, અનિવૃત્તિકરણ સિવાયની ઉલનામાં પણ, એકેન્દ્રિયપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાસ્થાન પછી ઉલતા ખંડો બધા જીવોને એકસરખા જ હોય એમ માનવું યોગ્ય લાગે છે.સમજ્યમોહનીય; મિશ્રમોહનીય, વૈ૦ ૧૧, આહા. ૭, મનુદ્ધિક અને ઉચ્ચગોત્ર આ ૨૩ પ્રકૃતિઓ માટે આ વાત જાણવી. પ્રશ્ન-૧૫ ઉપરના પ્રશ્નના ઉત્તરમાં જે કહ્યું કે PWs P/a વગેરે જે આયામનો સ્થિતિઘાતખંડ હોય તે પ્રમાણે વચ્ચે-વચ્ચે આંતરા મળે છે તે યોગ્ય લાગતું નથી, કારણ કે સપકશ્રેણિમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ P/s સ્થિતિખંડ જ કહ્યો છે.. સત્તાધિકાર ૧૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy