SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ દલિનો પણ વિચાર કરવાનો હોય છે. પ્રસ્તુતમાં, નરકગતિ બંધાતી ન હોવા છતાં, મનુષ્યગતિ વગેરે બંધાતી પ્રવૃતિઓ નરકના સંપૂર્ણ ભવ દરમ્યાન પાછી પુષ્ટ થઈ જાય અને એના પુષ્ટ નિકો તિબુકસંકમથી નરકગતિમાં સંક્રમવાથી નરકગતિનો જઘન્ય પ્રદેશોદય મળે નહીં, માટે પર્યાપ્તપણાનો પ્રથમસમય કહ્યો છે. અપર્યાપ્ત અવસ્થામાં સ્વર વગેરે જે પ્રકૃતિને અનુદય હોય છે તેનું પણ દલિક મળતું હોવાથી જઘન્ય પ્રદેશોદય મળતો નથી. પ્રશ્ન-૧ર ઔદા શરીર નામકર્મ વગેરેનો જઘન્ય પ્રદેશોદય કોને હોય? ઉત્તર-૧૨ એકેન્દ્રિય જીવને યથાસંભવ આ પ્રવૃતિઓનો જઘન્ય પ્રદેશોદય કહેલો છે. આમ કેમ કહેલું છે તે સમજાતું નથી, કારણકે વિચાર કરતાં ત્રસમાં એનો જઘન્ય પ્રદેશોદય કહેવો યોગ્ય લાગે છે. એકેન્દ્રિયમાં અંગોપાંગ વગેરેનો ઉદય ન હોવાથી એનું પણ દલિક આ ઉદયવતી પ્રવૃત્તિઓને મળવાથી પ્રદેશોદય જઘન્ય ન રહે. ત્રસમાં યોગ વધુ હોવાથી ઉદીરણાકરણથી વધુ દલિક આવવાના કારણે જઘન્ય ન મળે એમ કહી શકાતું નથી, કારણ કે તે પછી મનુષ્યગતિ વગેરે માટે પર્યાપ્ત થવાના પ્રથમસમયે ન કહેતાં ભવપ્રથમ સમયે જ કહી દેત, કારણકે ત્યારે અપર્યાપ્તપણાના કારણે યોગ એકદમ ઓછો હોય છે. ઉદીરણાકરણના કારણે દલિકોનું થતું ઓછા-વત્તાપણું અસં૦મા ભાગને અસર કરે છે. જ્યારે ઉદયપ્રાપ્ત પ્રકૃતિઓની સંખ્યાનું ઓછા-વત્તાપણું સંખ્યામા ભાગને અસર કરે છે. એક પણ પ્રકૃતિ ઉદયમાંથી ઓછી થાય એટલે એના ભાગનું એ નિનું સઘળું દલિક અન્ય ઉદયપ્રાપ્તસંખ્યાતી પ્રકૃતિઓને મળી જાય છે. એટલે વિવલિતપ્રકૃતિને સંખ્યામાં ભાગ મળી જાય છે જે ઉદીરણાના કારણે થતાં દલિક ફેરફારની અપેક્ષાએ ઘણું અધિક હોય છે. એટલે ઉદ્યોતના ઉદયવાળા સંજ્ઞીપંચેન્દ્રિયને, એ ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી ઘણી ઉદ્વર્તન કરે. અને પછી બંધાવલિકાના ચરમસમયે ઉષ્ટ સંક્લેશે જઘન્ય પ્રદેશોદય કહેવો યોગ્ય લાગે છે. સામાન્યથી, સંક્લેશ જેમ વધુ તેમ પ્રદેશોદીરણા ઓછી હોય છે. બેઇન્દ્રિયને સંજ્ઞીપંચેન્દ્રિય જેટલો સંક્લેશ ન હોવાથી સંસીપચેન્દ્રિયને તે કહેવાનો અભિપ્રાય છે. પ્રમ-૧૩ પર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચોને ૬ સંઘયણ, ૬ સંસ્થાન, બે ખગતિ, સ્થિદિ ૬ અને અસ્થિરાદિ૬ એ ૬ પ્રકૃતિઓમાંથી કઇ કઇ પ્રકૃતિનો ઉદય હોય છે અને કઇ કઇ પ્રકૃતિનો ઉદય હોતો નથી ? ૧૭૫ ઉદયાધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy