SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણશ્રેણિનિક્ષેપ થાય છે તેનો આયામ તો ૧૧ મે થતી ગુણશ્રેણિ કરતાં ઓછો હોય છે. જો એ પણ સંખ્યાતગુણ હોત, તો નિદ્રાદ્ધિના ઉત્કૃષ્ટ પ્રદેશોદય માટે અગ્યારમાં ગુણઠાણાના પ્રથમસમયે થતી ગુણશ્રેણિના શીર્વોદયે ન કહેતાં, જયાં આ ૧૦ માના ચરમસમયે થયેલ શ્રેણિનું શીર્ષ હોય ત્યાં જ, ૧૧ માના જે સમયે થયેલી ગુણશ્રેણિનું શીર્ષ આવે. તે ગુણશ્રેણિના શીર્વોદયે કહેત.પણ એ કહ્યું નથી. તેથી જણાય છે કે ૧૧ મા ગુણઠાણે પ્રથમ સમયે થયેલ ગુણશ્રેણિનું શીર્ષ જ્યાં આવે તેના કરતાં પહેલાં જ ૧૦ માના ચરમસમયની ગુણશ્રેણિનું શીર્ષ આવી ગયું હોવું જોઇએ. માટે એનો આયામ ઓછો હોય છે. આમ, ૧૧ મા ગુણઠાણાના પ્રથમસમયે થયેલ ગુણશ્રેણિનું શીર્ષ આવે એ પહેલાં જ ૧૦ માના ચરમસમયની ગુણશ્રેણિનું શીર્ષ આવી ગયું હોય છે એવું આ નિદ્રાદ્ધિન્ના ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્થાન પરથી જેમ નિશ્ચિત થાય છે તેમ એ પણ નિશ્ચિત થાય છે કે માત્ર ૧૦ માના ચરમસમયની ગુણશ્રેણિનું જ નહીં, અત્યાર સુધી થયેલ દરેક ગુણશ્રેણિનું શીર્ષ એ પહેલાં જ આવી જાય છે, પછી નહીં, અન્યથા એ શીર્ષ સાથે ૧૧ માના જે સમયની ગુણશ્રેણિનું શીર્ષ આવે તે શીર્વોદય કહેત. પણ આટલા માત્રથી ૮ મા વગેરે ગુણઠાણાએ જે ગુણશ્રેણિ થાય એનો આયામ પણ ૧૧ માની ગુણશ્રેણિના આયામ કરતાં નાનો જ હોય એમ માનવાની જરૂર નથી, એ તો સંખ્યાતગુણ જ હોય છે જેના કારણે તો ઉપશામક્ની ગુણશ્રેણિને કાળની અપેક્ષાએ ઉપશાંતમોહની ગુણશ્રેણિ કરતાં સંખ્યાતગુણ કહેલ છે). પણ એ વખતે હજુ કાળ વીતવાનો ઘણો બાકી હોવાથી એ વખતની ગુણશ્રેણિઓનું શીર્ષ આ ૧૧ માના પ્રથમસમયની ગુણશ્રેણિ શીર્ષને આંબી શક્યું નથી. ધારો કે પહેલો સમય એ ૮ માનો પ્રથમ સમય છે. ૧૦૦૧ મો સમય એ ૧૧ માનો પ્રથમસમય છે અને એ વખતે ૧૦૦૧ થી ૧૦૧૦ મા નિષેક સુધી ગુણશ્રેણિ રચાય છે. ૧૦૧૦ મો નિવેક એ શીર્ષ છે. ૧ થી ૧૦૦ મા સમય સુધીમાં ૮, ૯ અને ૧૦ ગુણઠાણા પસાર થાય છે. આમાંના કોઈ પણ સમયે થતી ગુણશ્રેણિનું શીર્ષ ૧૦૧૦ મા સમય પૂર્વેજ આવી જાય છે. પ્રથમ સમયે ધારો કે ૧થી ૧૦૦પ માનિક સુધીની ગુણશ્રેણિ થાય તો એનો આયામ ૧૦૦૫ સમયનો હોવા છતાં શીર્ષ (૧૦૦૫મો નિષેક) તો ૧૦૧૦ મા સમય પૂર્વે આવી જ જાય છે, આમ સર્વત્ર જાણવું. પ્રશ્ન-૯ આહા બો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કોને હોય છે? ઉદયાધિકાર ૧૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy