SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર-ર યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ એ બે કરીને જે સમયે જીવ સર્વવિરતિ પામે છે એ જ સમયથી સર્વવિરતિનિમિત્તક ગુણશ્રેણિ રચનાનો પ્રારંભ થાય છે. વળી એ સમયથી અંતર્મુ૦ સુધી હજુ પણ જીવ ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ વિશુબ્ધમાન હોય છે. આ અંતર્મુ॰ એકાંતવિશુદ્ધિનો કાળ છે, એમાં દિલની અપેક્ષાએ ઉત્તરોત્તર સમયે અસંગુણ-અસંગુણ ગુણશ્રેણિ રચાય છે. ત્યારબાદ જીવ સ્વભાવસ્થ થાય છે. ત્યારથી પરિણામનિમિત્તક સ્થિતિઘાત-રસઘાત બંધ પડે છે. સર્વવિરતિનિમિત્તક ગુણશ્રેણિ કે જે કાળની અપેક્ષાએ અવસ્થિત અને દલિકોની અપેક્ષાએ સંક્લેશ-વિશુદ્ધિને અનુસારે જ પ્રકારની હાનિવૃદ્ધિવાળી હોય છે તે સંયમ જળવાઇ રહે ત્યાં સુધી ચાલુ રહે છે. આ ગુણશ્રેણિને યથાપ્રવૃત્તસંયતગુણશ્રેણિ કહે છે, એની વિદ્યમાનતામાં જીવ મિથ્યાત્વે જઇ શકે છે. પણ સંયમની પ્રારંભિક એકાંત વિશુદ્ધિ ગુણશ્રેણિ ક્ષીણ ન થાય ત્યાં સુધી તેવો સંક્લેશ આવતો ન હોવાથી જીવ મિથ્યાત્વે જતો નથી. આ જ વાત દેશિવરતિની ગુણશ્રેણિ માટે પણ જાણવી. પ્રશ્ન-૩ ગુણિતકર્મા શ જીવ ઉપશમશ્રેણિમાં અંતરકરણક્રિયા ચાલુ કરવાના પૂર્વ સમયે મૃત્યુ પામી દેવલોકમાં ગયો. ત્યાં, અંતર્યુ બાદ ગુણશ્રેણિશીષો દય થાય ત્યારે હાસ્યાદિ ૬ નો ઉત્કૃષ્ટ પ્રદેશોદય જે કહ્યો છે તેમાં કોઇ વિશેષતા છે ? ઉત્તર-૩ હા, હાસ્યાદિ ૪ નો ઉત્કૃષ્ટપ્રદેશોદય જો ક્લેવો હોય તો એ વખતે ભય-જુગુપ્સાનો અનુદય લેવો. એમ ભયના ઉત્કૃષ્ટપ્રદેશોદય માટે જુગુ.નો અને જુગુ.ના ઉત્કૃષ્ટપ્રદેશોદય માટે ભયનો અનુય લેવો. આમ લેવાનું કારણ ? આ દેવાંતના જઘન્ય પ્રદેશોદય માટે કહ્યું છે કે એ વખતે ઉદ્યોતનો ઉદય હોવો જોઇએ, નહીંતર ઉદ્યોતનું દલિક સ્તિબુક્સંક્રમથી દેવગતિનામકર્મમાં પણ આવવાથી દેવગતિનો જઘન્ય પ્રદેશોદય ન મળે. એટલે પ્રસ્તુતમાં ભય-જુગુ.નો ઉદય ન હોય તો ગુણશ્રેણિણીયે રહેલ એના પ્રચુર દલિનો પણ હાસ્યાદિને ક્તિબુક્સંક્રમથી લાભ મળવાથી એનો ઉત્કૃષ્ટપ્રદેશોદય મળે. કષાયપ્રાભૂતચૂર્ણિમાં હાસ્યાદિ નો ઉત્કૃષ્ટપ્રદેશોદય ક્ષપકને ૮ માના ચરમસમયે કહ્યો છે, અને, એમાં કારણ જયધલાકારે એવું જણાવ્યું છે કે ઉપશામક કરતાં સપની૮ મા ગુણઠાણે પણ વિશુદ્ધિ અનંતગુણ હોવાથી એની ગુણશ્રેણિરચનાથી અધિક દલિક ગોઠવાયું હોય છે. એમ ક્યાયપ્રાભૂતસૂર્ણિમાં૮કષાયોનોઉત્કૃષ્ટપ્રદેશોદય ૧૬૯ Jain Education International For Private & Personal Use Only ઉદયાધિકાર www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy