SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચ-મનુષ્યો વૈક્રિયદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે ત્યારે વૈદ્ધિક પણ આ રીતે ઉદય બંધોત્કૃષ્ટ મળે. પ્રમ-૧૨ અનુદય બંધાત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કેટલી થાય? ઉત્તર-૧ર ટીકાકારોએ અંતર્મુહૂર્તન્યૂન ઉષ્ટસ્થિતિબંધ જેટલી હી છે જ્યારે ચૂર્ણિકારે બે આવલિકાનૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલી કહી છે. એક જીવે માનવજન્મના ચરમ સમયે ઉત્કૃષ્ટ સંક્લેશમાં નરકગતિનો ૨૦ કો. કો. સાગરોપમ બંધ કર્યો. અને પછીના સમયે નરકમાં એ ઉત્પન થયો. ત્યાં બંધાવલિકા વીત્યે ઉદયાવલિકા ઉપરની બધી સ્થિતિઓમાંથી ઉદીરણા થાય છે. માટે ચૂર્ણિકારે બે આલિકાનૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલી હી છે. ઇશાનાન્ન દેવ ભવચરમ સમયે ઉત્કૃષ્ટ સંક્લેશે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ સાથે આપનો ૨૦ કો. કો. બંધ કરી પછીના સમયે બાળ મૃથ્વીકાય તરીકે ઉત્પન થાય છે. ત્યાં બંધાવલિકા વીત્યે પણ આતપનો ઉદય થતો નથી, કારણકે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ આતપનો ઉદય થાય છે. એટલે અંતર્મુહૂર્ત બાદ જ આપના ઉદય ઉદીરણા થાય છે. તેથી એની ઉત્કૃષ્ટસ્થિતિઉદીરણા અંતર્મુહૂર્તન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલી મળે છે. ટીકાકારોએ આપની જેમ નરકગતિ વગેરે સર્વે માટે અંતર્મુહુર્તજૂન કરવાનું કહ્યું છે તે યા અભિપ્રાયથી એ સમજાતું નથી. કારણકે એનાં તો પરભવપ્રથમસ ન થી જ ઉદય-ઉદીરણા શરુ થઈ જાય છે. “પૂર્વભવના ચરમ અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ સંક્લેશ સંભવત નથી. તેથી દ્વિચરમ અંતર્મુહૂર્તમાં ઉસ્થિતિબંધ કરી પછી ચરમ અંતર્મુહૂર્ત મધ્યમપરિણામી રહી પછી ભવાંતરમાં નરકમાં જાય ત્યારે ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા થતી હોવાથી અંતર્મુહૂર્તધૂન કરવું પડે છે " એમ કહી શકાતું નથી. કેમકે ભવના ચરમસમયે પણ ઉત્કૃષ્ટ સંક્લેશ અને ઉત્કૃષ્ટસ્થિતિબંધ સંભવે છે એ વાત ગુણિતકર્માણની પ્રક્રિયા પરથી સિદ્ધ છે. પ્રશ્ન-૧૩ ૪ મધ્યમસંઘયણની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા કેટલી હોય છે? ઉત્તર-૧૩ આ ૪ પ્રકૃતિઓની ઉદયસંક્રમોત્કૃષ્ટામાં ગણતરી કરીને એની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા ૩ આવલિકાનૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલી બતાવી છે. પણ, તર્કથી વિચાર કરવામાં આવેતો આ૪પ્રકૃિતિઓ અનુદય સંકોત્કૃષ્ટ જણાય છે. મધ્યમસંઘયણમાં રહેલા જીવોને ઉત્કૃષ્ટસંક્લેશ ન હોવાથી નરકગતિ વગેરેનો ૧૩૭ ઉદીરnકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy