SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યપ્રકૃતિ-પદા ભાગ-૨ श्री अर्हनमः तस्मै श्री गुखे नमः ऐं नमः (ઉપશમનાકરણ સત્તામાં રહેલા કર્મલિકોને એવી અવસ્થાવાળા કરવા કે જેથી એના ઉદય-ઉદીરણા -નિતિ-નિકાચના થઇ ન શકે. આને ઉપશમના કહે છે. જે કરણવીર્યથી આવી ઉપશમના થાય છે એને ઉપશમનાકરણ કહે છે. ઉપશમના બે રીતે થાય છે. કરણકતા અને અકરણત. અહીં કરણ એટલે યથાપ્રવૃત્તકરણ વગેરે સમજવા, પણ કરણવીર્ય નહીં. એટલે કે અકરણક્ત ઉપશમના યથાપ્રવૃત્તકરણ વગેરે કારણો વિના થઈ જાય છે. એવો અર્થ સમજવો. બાકી વીર્ય તો એમાં પણ કરણવીર્ય જ હોય છે, અકરણવીર્ય નહીં. ગિરિનદીપાષાણ જાયે સંસાર જીવને વેદના વગેરે કારણે દલિકોની જે ઉપશાંતતા થાય છે. એને અણઉપશમના કહે છે. આને અનુદાણપશમના પણ કહે છે. આ અકરણકત ઉપશમના માત્ર દેશોપશમના જ હોય છે. સર્વોપશમના તો કરણક્ત જ હોય છે. ન્યકારના કાળે પણ અકરણઉપશમનાના વાતાઓનો અભાવ હોવાથી અનુયોગ વિચ્છિન્ન હતો. તેથી એના જાણકાર ૧૪ પૂર્વી વગેરેને થકારે નમસ્કાર કર્યા છે. ઉપશમનાના બે પ્રકાર છે - (૧) દેશોપશમના - સતાગત સર્વદલિકો ઉપરાંત થતા નથી, કિન્તુ તેનો એક દેશ = એક ભાગ ઉપશાંત થાય છે, માટે દેશોપશમના કહેવાય છે. આના બીજા બે નામો - અગુણોપશમના અને અપશોપશમના છે. આ સર્વકર્મની થાય છે. (૨) સર્વોપશમના - સતાગત સઘળાં દલિકો ઉપશાંત થાય છે. આમાં ઉત્તરોતર સમયે અસં ગુણ-અસંગણ દલિકો ઉપશાંત થતા હોવાથી આને ગુણોપશમના પણ કહે છે, તેમ જ તે તે કર્મથી છાયેલ આત્મગુણ, આ ઉપશમના થવાથી સંપૂર્ણતયા પ્રકટ થાય છે, માટે આને પ્રોપશમના
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy