SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૩ અનંતી વર્ગણાઓ જીવને અગ્રાહ્ય હોય છે. કારણકે આ સ્કંધો જીવને ઔદારિકરૂપે લેવા માટે સૂક્ષ્મ પરિણામવાળા પડે છે અને વૈક્રિયરૂપે લેવા માટે સ્થૂલ પડી જાય છે. માટે આ વર્ગણાઓને વૈક્રિયઅગ્રાહ્ય વર્ગણાઓ કહે છે. આ જ કારણ આગળની અગ્રાહ્ય વર્ગણાઓ માટે પણ જાણવું. આની પ્રથમ (જઘન્ય) વર્ગણાના પ્રત્યેક સ્કંધોમાં ઔદારિક ગ્રાહ્યની ઉત્કૃષ્ટ વર્ગણાગત સ્કંધોમાં રહેલ પરમાણુપ્રદેશથી એક પરમાણુપ્રદેશ અધિક હોય છે. આની ઉત્કૃષ્ટ (ચરમ) વર્ગણાના પ્રત્યેક સ્કંધોમાં સ્વજઘન્ય વર્ગણાના પ્રત્યેક સ્કંધગત પરમાણુઓ કરતાં અનંતગુણ પરમાણુપ્રદેશો હોય છે. આમાં ગુણક જે અનંત છે તે અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ જાણવો. (આ જ પ્રમાણે કાર્મણ સુધીમાં આવતી દરેક અગ્રાહ્ય વર્ગણાઓના જઘન્ય-ઉત્કૃષ્ટ-સ્કંધો માટે જાણવું.) ત્યારબાદ પણ જેમ જેમ એક એક પરમાણુ આગળ વધતાં જઈએ તેમ તેમ ક્રમશ: અનંતી અવંતી વૈક્રિયગ્રાહ્ય, આહારકઅગ્રાહ્ય, આહારકગ્રાહ્ય, તેજસઅગ્રાહ્ય, તૈજસગ્રાહ્ય, ભાષાઅગ્રાહ્ય, ભાષાગ્રાહ્ય, શ્વાસોશ્વાસ અગ્રાહ્ય, શ્વાસોશ્વાસગ્રાહ્ય, મન અગ્રાહ્ય, મનગ્રાહ્ય, કાર્મણઅગ્રાહ્ય, કામણગ્રાહ્ય વર્ગણાઓ જાણવી. આમાં સર્વત્ર સ્વજઘન્યથી સ્વઉત્કૃષ્ટ અગ્રાહ્યમાં અનંતગુણ અને ગ્રાહ્યમાં વિશેષાધિક (અનંતભાગાધિક) જાણવું. ૧. વર્ગણાઓનું આ સ્વરૂપ, પંચસંગ્રહને અનુસરીને કર્મપ્રકૃતિવૃત્તિમાં વૃત્તિકારી શ્રી મલયગિરિ મહારાજે અને શ્રી યશોવિજયજી મહારાજે જે આપ્યું છે તેને અનુસરીને છે. જો કે વૃત્તિમાં અગ્રાહ્યવર્ગણાઓને માત્ર અગ્રાહ્યવર્ગણાઓ રૂપે જ જણાવી છે. પણ વિશેષ સ્પષ્ટતા માટે અહીં એના ઔદા અગ્રાહ્ય, વૈક્રિય અગ્રાહ્ય વગેરે નામો લીધા છે. કર્મપ્રકૃતિના ચૂર્ણિકાર વગેરે ઔદારિક-વૈક્રિય અને આહારક ગ્રાહ્ય વર્ગણાઓને આહાર દ્રવ્યવગણા તરીકે માને છે અને એમાં વચ્ચે વચ્ચે અગ્રાહ્યવર્ગણાઓ માનતા નથી. એટલે કે એમના મતે અહીં કહેલ વૈક્રિય અગ્રાહ્ય અને આહારક અગ્રાહ્ય વર્ગણાઓ છે નહીં. આમાં તત્ત્વ કેવલીગમ્ય છે. વળી મૂળમાં શ્વાસોશ્વાસ વર્ગણા કહી નથી. પણ એનો “ચ” શબ્દથી સમુચ્ચય છે એમ સ્વીકારી વૃત્તિકારોએ એ વર્ગણાઓ પણ સમાવી છે. જ્યારે ચૂર્ણિકારે સૂત્રકારને સીધા અનુસરીને એનો સમાવેશ કર્યો નથી. “જે જીવને ઔદારિકાદિ ૩ માંથી જે શરીર હોય તેને પ્રાયોગ્ય પુદ્ગલોને જ તે જીવ શ્વાસોશ્વાસરૂપે પરિણાવીને છોડે છે એવો જે કેટલાક આચાર્યોનો મત છે એને અનુસરીને શ્વાસો વર્ગણાઓને સૂત્રકારે પૃથર્ બતાવી નથી એવો ખુલાસો ટીપ્પણકાર શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજે આપ્યો છે. “આપણા શ્વાસોમાં જે વાયુ બહાર નીકળે છે તે વાયુકાયનું શરીર હોવાથી ઔદારિકપુગલમય હોવો જોઈએ” આવી કો'ક ગણતરીથી કદાચ તે આચાર્યોનો ઉપરોક્ત અભિપ્રાય હોય. ૨. ચૂર્ણિમાં પ્રદેશાર્થની અપેક્ષાએ આપેલું અલ્પબદુત્વઃ ઔદા અલ્પ, વૈ૦ ૩, આહા૨ a, - તેજસ A, ભાષા A, મનો... A, કામણ A. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy