________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
- ૧૯૫
ઉકાળ નં. ૩, ૪, ૮ અને ૯. ૧ આવલિકા નં. ૭. અન્તર્યુ. નં. ૬. ૩P; શેષ Pla
આમ દેવલોક પ્રાયોગ્યના નવા ૯ સંવેધ મળે છે. નરકપ્રાયોગ્ય બંધસ્થાનો – ૨૮
આમાં બધું દેવપ્રાયોગ્યવતું.પણ અનંતા વિનાના ૨ સંવેધ નહીં મળે, કારણકે ચોથેથી ૧ લે આવ્યા બાદ પ્રથમ અંતર્મમાં કોઈ જ જીવ નરકપ્રાયોગ્ય બાંધતો નથી. તથા ૭૦ માં ૧૩૨ નરકદ્ધિક વિના (ઉકાળ ૧ આવલિકા) અથવા દેવદ્યિકવિના સમજવો. તથા ૭૧ માં ૧૩૭ (આહાવિના, જિનનામ સાથે)નો એક વધારાનો સંવેધ જ ઉ૦ કાળ અંતર્મવાળો ઉમેરવો. એટલે નરકગતિપ્રાયોગ્ય કુલ ૮ સંવેધ મળશે..
આમ પ્રથમ ગુણઠાણે કુલ ૪૯ + ૨૨ + ૯ + ૮ = ૮૮ નવા સંવેધ મળે છે. આ સંવેધોમાં પતગ્રહસ્થાનોમાં ગતિભેદે સંવેધભેદ ગણ્યો છે, પણ પંચેન્દ્રિયચઉરિન્દ્રિય વગેરે જાતિભેદ, સૂક્ષ્મ-બાદર ... યશાયશ વગેરે ભેદે સંવેધભેદ ગણ્યા નથી. એ બધા જ ભેદ કરવામાં આવે તો સંવેધોની સંખ્યા હજુ ઘણી વધારે થાય એ જાણવું.
આમ ૨, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૬, ૨૮ અને ૨૩ થી લગાતાર ૭૩.. એમ કુલ ૩૨ પતગ્રહસ્થાન મળે છે. તથા ૨,૯૨ થી લગાતાર ૧૩૮ અને ૧૪૦, ૧૪૧. એમ કુલ પ૦ સંક્રમસ્થાનો મળે છે. આ ૩૨ અને ૫૦ના સંવેધ થઈને કુલ ૪૬૮ સંવેધસ્થાન મળે છે. તે આ મુજબ..
ક્ષપકશ્રેણિમાં ૬૪ + ઉપશમશ્રેણિમાં ૨૦૯ + સાતમે ૨૦ + છટ્ટ ૧૨ + પાંચમે ૨૫ + ચોથે ૩૮ + ત્રીજે ૪ + બીજે ૮ + પહેલે ૮૮ = ૪૬૮ કુલ સંવેધ સર્વઉત્તર પ્રવૃતિઓના પતસ્થાન સંક્રમસ્થાન અંગે થાય છે, એ જાણવું.
પ્રચલિતનિયમોને તથા જ્યાં એવા નિયમો પ્રચલિત નથી કે જાણમાં નથી ત્યાં પૂર્વાપર વિચાર કરીને અમુક પ્રકારના નિયમો કલ્પીને (કે જે લગભગ તે તે સ્થળે જણાવ્યા છે) એને અનુસરીને આ સંકલના કરી છે. બની શકે છે વાસ્તવિક નિયમ આનાથી અલગ પ્રકારનો હોય, અથવા નિયમ આવો જ હોવા છતાં અમુક વિકલ્પ મને ફુર્યો ન હોય કે સંકલન કરવામાં કંઈક ભૂલ થઈ હોય. આવું જો કાંઈ પણ આ સંકલનામાં થયું હોય તો એનું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડ દેવા સાથે બહુશ્રુત ગીતાર્થોને એનું સંશોધન કરવા વિનંતી કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org