SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ વીર્યાન્તરાયકર્મના ક્ષય કે ક્ષયોપશમથી આત્મામાં જે લબ્ધિ પેદા થાય છે તેને વીર્ય કહે છે. ક્ષયથી પેદા થયેલું વીર્ય ક્ષાયિક કહેવાય. ક્ષયોપશમથી પેદા થયેલું વીર્ય ક્ષાયોપથમિક કહેવાય. વેશ્યાયુક્ત જીવોનું વીર્ય એ સલેશ્યવીર્ય અને લશ્યામુક્ત જીવોનું વીર્ય એ અલેશ્યવીર્ય. બુદ્ધિપૂર્વક થતી પ્રવૃત્તિઓમાં યોજાતું વીર્ય એ અભિસંધિજ વીર્ય... દા.ત. દોડવું, ભણવું વગેરે. બુદ્ધિ વિના જ થઈ જતી પ્રવૃત્તિઓમાં યોજાતું વીર્ય એ અનભિસંધિજ વીર્ય.. દા.ત. આહાર પચન, લોહીનું ભ્રમણ વગેરે... | વીર્ય ] સલેશ્ય અલેશ્ય અયોગી કેવળીઓને તેમજ સિદ્ધોને ક્ષાયિક (સયોગી કેવળીને) ક્ષાયોપથમિક અભિસંધિજ અનભિસંધિજ અકષાયી સકષાયી (૧૧-૧૨ ગુણ૦) (૧થી૧૦ ગુણ૦) અભિ૦ અનભિ૦ અભિ૦ અનભિ૦ અલેશ્યવીર્ય દ્વારા પુગલોના ગ્રહણાદિ થતા નથી. સલેશ્યવીર્ય દ્વારા તે થાય છે. માટે એ જ કરણવીર્ય છે, અને એની જ અહીં પ્રરૂપણા કરવાની છે. આ સલેશ્યવીર્યના બે રીતે ૩-૩ ભેદ છે. • ગ્રહણવીર્ય- જે વીર્યવિશેષથી ઔદારિકાદિ ગ્રાહ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય તે. પરિણામવીર્ય- ગૃહીત પુદ્ગલો જે વીર્યવિશેષથી ઔદારિક શરીર વગેરે રૂપે પરિણમે છે. • સ્પન્દનવીર્ય- જે વીર્યવિશેષથી ગમનાદિ નાની મોટી ક્રિયા થાય તે. અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy