SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ક્રિયાજન્ય સંસ્કારથી ઉત્પન્ન થયું હોય એવું વલ્કલચીરી વગેરે અનેક દાંતોમાં જોવા મળે છે. આગળ વિનિયોગ આશય જે કહેવાનો છે તેમાં પણ વિનિયોગ બાહ્યદષ્ટિએ આચારનો જ હોય છે. અર્થાત્ વિનિયોગ આશય પામેલ સાધક સામા જીવમાં આચારનો વિનિયોગ કરે છે. (પણ વિનિયોગ આશયના પ્રભાવે એ આચાર ભાવ પેદા થાય તેવો અવબ્ધ હોય છે) અને એ આચાર સામા જીવમાં ક્રમશઃ ભાવને પેદા કરે છે. કોઈ પણ સંજોગોમાં શરાબ પીવાય જ નહિ' આવી પરિણતિ એ શરાબત્યાગ અંગેનો નિશ્ચય છે. શરાબ પીવો નહિ એ વ્યવહાર છે. શરાબ ત્યાજ્ય છે' એમ કહ્યા કરે અને પાછો શરાબ પીધા કરે એ પોતાના આરોગ્યની પાયમાલી સર્જવાનો જ છે. આ રીતે ક્રિયા તો બાહ્ય ભાવ છે, તુચ્છ છે” એ પ્રમાણે કહી કોરા નિશ્ચયની વાતો કરનારો પાપક્રિયાના પ્રભાવે દુર્ગતિમાં સબડવાનો છે. સામે પક્ષે શરાબને ત્યાજ્ય માનવાની પરિણતિ કદાચ ન હોવા છતાં શરાબ ન પીનારો આરોગ્ય જાળવી રાખવાનો છે. એમ કદાચ નિશ્ચય ન કેળવાયો હોય, છતાં જે ધર્મક્રિયા પકડી રાખે છે એને દેવલોક તો અવશ્ય મળવાનો છે, એ દુર્ગતિમાં નહીં જાય. ધર્મક્રિયાને પકડી રાખવી અને એના દ્વારા ભાવ-પરિણતિઓને ઘડતાં રહેવું એ આત્મહિતેચ્છુઓનું કર્તવ્ય છે, અને ક્યારેક શક્તિ, સંયોગ વગેરેના કારણે બાહ્યક્રિયા પકડી ન શકાય ત્યારે પણ ભાવના દ્વારા ક્રિયા પ્રત્યે ખેંચાણ ઊભું કરવું, તેને જાળવી રાખવું, તેને વધારવું... એ પણ ભાવ પરિણતિરૂપ છે. અને એ ધર્મક્રિયાને કાલાન્તરે ખેંચી લાવે છે, તેમજ વિપુલ કર્મક્ષય પણ કરાવે છે. માટે એવા અવસરે એ કર્તવ્ય બની રહે છે. ધર્મક્રિયાને યોગરૂપ બનાવનાર પ્રણિધાનાદિ પાંચ આશયોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004976
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 04
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy