________________
૨૮૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
જિનમંદિર બંધાવવાનો અધિકારી છે. ચોરી-લબાડી વગેરે લોકનિન્દ વૃત્તિ-પ્રવૃત્તિવાળો ગૃહસ્થ જો જિનમંદિર બંધાવે તો, એ ગૃહસ્થ નિન્દ હોવાથી લોકો એની સાથે ધર્મને પણ વગોવે છે. ધર્મની વગોવણી એ બોધિદુર્લભતાનું પ્રબળ કારણ છે. એટલે ધર્મનિન્દા કરનાર લોકો બોધિદુર્લભ બની જાય એ મોટું નુકશાન થાય છે, જે એમાં નિમિત્ત બનનાર એ ગૃહસ્થને પણ નુકશાનકારક છે. એમ, જેનો આશય જ શુભ ન હોય એ તો અધિકારી ન જ હોય શકે એ સ્પષ્ટ છે. તથા, જે ગૃહસ્થ ગુરુવર્ગને સંમત નથી.એને ગુરુજનોના આશીર્વાદ ન મળે. રાજા વગેરેનો ઉપરથી વિરોધ હોય તો ક્યારેક સંઘને પણ તકલીફ પડવાની શક્યતા, કંઈક ને કંઈક વિઘ મંદિરનિર્માણમાં પણ આવ્યા કરવાની શક્યતા. માટે અહીં જે ગુણો કહ્યા છે તેવા ગુણોવાળો ગૃહસ્થ જ મંદિર નિર્માણનો વાસ્તવિક અધિકારી છે.
પ્રશ્ન : જિનમંદિરનિર્માણ માટે ભૂમિ કેવી જોઈએ ?
ઉત્તર : જિનમંદિર બંધાવવા માટે એવી ભૂમિ ખરીદવી જોઈએ કે જેમાં વાસ્તુવિદ્યાને અનુસાર કોઈ દોષ હોય નહીં, ધર્મશાસ્ત્રમાં દેખાડેલી મર્યાદાનું ઉલ્લંઘન ન હોય, તથા પડોશી વગેરે કોઈને ખેદ પહોંચતો ન હોય અને ભવિષ્યમાં કલ્યાણની પરંપરા ચાલવાની હોય.
પ્રશ્ન : જેમાં કલ્યાણ પરંપરા ચાલે એવી શુભલક્ષણવાળી જમીન ખરીદવી એ વાત તો બરાબર છે. પણ પડોશી વગેરેને ખેદ ન થવો જોઈએ એવી શરત શા માટે છે ?
ઉત્તર : ધર્મમાં ઉદ્યમશીલ જીવે કોઈને પણ અપ્રીતિ થાય એવું કરવું ન જોઈએ, કારણ કે અપ્રીતિનો પરિહાર કરવાથી જ શુભાનુબંધ થાય છે જેના પ્રભાવે ભવિષ્યમાં શુભપરંપરા ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org