SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૨૩ ૨૩૩ રૂપ વ્યવહારથી તાત્ત્વિક અધ્યાત્મ અને ભાવનારૂપ યોગમાર્ગ હોય છે. કારણ પણ કથંચિદ્ કાર્યરૂપ હોવાથી આને વ્યવહારથી તાત્ત્વિક કહ્યો છે. એટલે સંવિગ્નપાક્ષિકનું સમ્યક્ત્વ અક્ષત હોઈ આ વ્યવહારથી તાત્ત્વિક યોગમાર્ગ હોવો અસંભવિત નથી. યોગ જેવો ભાસતો અતાત્ત્વિક યોગાભાસ સમૃદ્અંધક વગેરેને હોય છે. શંકા : આવશ્યકનિર્યુક્તિ (૬૮૮)માં કહ્યું છે કે “કલ્પ અને અકલ્પના રહસ્યના જાણકાર, પાંચ મહાવ્રતોમાં રહેલા, સંયમ અને તપના વૈભવવાળા મહાત્માના વચનમાં અવિકલ્પ=નિશ્ચિતપણે તથાકાર કરવો, એટલે કે તેઓના વચન નિઃશંકપણે તાત્તિ કરવા.'' આ વચનાનુસારે સુસાધુના વચન જ અવિકલ્પે તથાકારનો વિષય હોવા જણાય છે. સંવિગ્નપાક્ષિક પાંચ મહાવ્રતમાં રહેલા ન હોઈ તેઓના વચન અવિકલ્પે તથાકારનો વિષય બનતા નથી. તેથી તેઓનો ધર્મ માર્ગરૂપ નથી. આશય એ છે કે- સંવિગ્નપાક્ષિકનો ધર્મ પણ માર્ગ રૂપે એટલા માટે સ્વીકારવો છે કે (૧) એનાથી પણ વિશેષ કર્મનિર્જરા થાય છે તેમજ (૨) એનાં અનુષ્ઠાનો પણ વ્યવહારથી તાત્ત્વિક અધ્યાત્મ અને ભાવના યોગ રૂપ બને છે. પણ આ બન્ને બાબતો બનવામાં મુખ્ય પરિબળ એમની મૂળ સંપપ શુદ્ધ પ્રરૂપણા જ છે. પરંતુ અહીં તેના વચનમાં અવિકલ્પે તથાકાર કરવાનો જે નથી કહ્યો એ જણાવે છે કે એના વચનો અસત્ય પણ સંભવે છે. તેથી એની પ્રરૂપણા શુદ્ધ ન રહેવાથી એનો ધર્મ માર્ગરૂપ નથી એ ફલિત થાય છે. સમાધાન ઃ આવશ્યકનિર્યુક્તિના ઉક્ત વચનબળે, સુસાધુ ભિન્ન વ્યક્તિના વચન પ્રત્યે જે ‘વિકલ્પે તથાકાર' મળે છે એમાં વિકલ્પ એ વ્યવસ્થિત વિભાષારૂપ છે, માત્ર વિકલ્પરૂપ નથી. એટલે કે અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy