SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૦. બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે શંકા - “ચોલપટ્ટો અને ઉત્તરપટ્ટો... આ બેની શી જરૂર છે ? ચોલપટ્ટો જ રાત્રે ઉત્તરપટ્ટાનું કામ કરશે, માટે એક ચોલપટ્ટો જ રાખવો, જેથી પરિગ્રહ ઓછો થાય.” આવા આવા સ્વબુદ્ધિજન્ય તર્કપૂર્વક વધુ કઠોર આરાધનામાં તત્પર દેખાય એ જીવો યથાવૃંદી હોય છે. એમ, ગોચરી વગેરેમાં વધુ નિર્દોષતાની કાળજી વગેરે રૂપે ગચ્છનિર્ગત અગીતાર્થની પણ બાહ્ય આરાધના કઠોર જણાતી હોય છે. તો આવા કઠોર આચારથી તેઓ મોક્ષમાર્ગીમાં આગળ તો વધશે જ ને ? સમાધાન - જ્ઞાનનું ફળ કાર્ય-અનાર્યનો વિવેક છે. ગીતાર્થ મહાત્માઓને આ ફળ સ્વકીયજ્ઞાનથી જ મળી જતું હોય છે. અગીતાર્થને આવું જ્ઞાન હોતું નથી. છતાં “કાંઈપણ કરવું કે ન કરવું ? એ મારે ગીતાર્થને જ પૂછવું' આવું ગીતાર્થનું પારતન્ય હોય તો ગીતાર્થ મહાત્મા એ અગીતાર્થને, અકાર્યને અકાર્યરૂપે જણાવી નિવૃત્તિ કરાવે છે, ને કાર્યને કાર્યરૂપે જણાવી પ્રવૃત્તિ કરાવે છે. અગીતાર્થને જો પોતાનું જ્ઞાન હોય તો પણ એના પ્રભાવે આવી નિવૃત્તિ-પ્રવૃત્તિ જ થવાની હતી. એટલે અગીતાર્થને જ્ઞાન ન હોવા છતાં ગીતાર્થપારતન્ય દ્વારા જ્ઞાનનું ફળ તો મળી જ રહે છે. એટલે સ્વરૂપતઃ જ્ઞાન નથી, પણ ફળતઃ જ્ઞાન છે, ને તેથી એની પણ જ્ઞાન-ક્રિયારૂપ સંપૂર્ણ મોક્ષમાર્ગની આરાધના હોવાથી એ મોક્ષમાર્ગમાં આગળ વધે જ છે. આમ આ ગીતાર્થપારતન્ય જ એના જ્ઞાનરૂપે કહેવાય છે. અલબત્ત આ વાસ્તવિક જ્ઞાનરૂપ નથી, પણ જ્ઞાનના કાર્યભૂત જે કાર્યાકાર્યનો વિવેક, એના કારણભૂત છે, માટે એ ઉપચારથી જ્ઞાનરૂપ છે, ગૌણરૂપે જ્ઞાનરૂપ છે. એટલે ગીતાર્થનો આધાર જો ન હોય તો, આ ગીતાર્થ પારતન્યરૂપ જ્ઞાન સંભવતું નથી, વળી ગીતાર્થો જેવું મુખ્ય (= ઉપચાર વિનાનું) જ્ઞાન પણ તેઓને હોતું નથી. એટલે તેઓ મોક્ષમાર્ગમાં આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy