SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સર્વજીવોના ક્રોધાદિ દોષો મારામાં આવી જાઓ ' વગેરે વિચારને પણ કુશળ ચિત્ત કહેવાની આપત્તિ આવે. વળી, જેઓને તૃણ અને મણિ સમાન છે એવા શ્રી જિનમાં સર્વસાવદ્યવ્યાપારથી નિવૃત્તિરૂપ જે સામાયિક પરિણામ હોય છે તે આ તમે કહેલા ચિત્તથી બેશક ઘણો જ સુંદર - સર્વશ્રેષ્ઠ પરિણામ છે, માટે શ્રી જિનમાં મહત્ત્વ શા માટે નહીં? ૨૭૨ વળી, મોહોદય ન હોવાથી સઘળા ખળભળાટ વિનાનું નિસ્તરંગચિત્ત ધરાવનાર શ્રીજિનને અવાસ્તવિક વિષયવાળું મોહોદયજન્ય ચિત્ત અસુંદર છે. આમ નિર્મોહતાનું વિરોધી હોવાથી એવું કુશળચિત્ત સર્વશ્રેષ્ઠ નથી. પ્રશસ્તરાગવાળી સરાગ અવસ્થામાં આવું કુશળ ચિત્ત એ બોધિ, આરોગ્યલાભ, ઉત્તમસમાધિ વગેરેની પ્રાર્થનાયુક્ત કુશળચિત્તને સમાન હોવાથી પ્રશસ્ત પણ છે. અસંભવિત વિષયવાળા વચન અને મન પણ શુભભાવોનો ઉત્કર્ષ કરાવનાર હોવાથી ભાષાના ચોથા ભંગમાં સમાવેશ પામે છે. આશય એ છે કે ભગવાન્ તો વીતરાગ છે. માટે તેઓ પ્રસન્ન થઈને આપણને બોધિ આપે વગેરે સંભવિત નથી. તેમ છતાં ‘પ્રભુ પ્રસન્ન થઈને મને બોધિ આપો' વગેરે પ્રાર્થના થાય છે ને એનાથી શુભભાવોનો પ્રકર્ષ થતો હોવાથી આવશ્યકનિર્યુક્તિમાં એવા વચનનો, સત્ય, મૃષા, મિશ્ર અને વ્યવહાર એવા ભાષાના ચાર ભેદમાંથી ચોથા ભેદમાં સમાવેશ હોવો કહ્યો છે. પણ આવી પ્રાર્થના વિકલ્પાત્મક ભક્તિભાવ પ્રયુક્ત પ્રાર્થનારૂપ હોવાથી વીતરાગને સંભવતી નથી, કારણકે વીતરાગને વિકલ્પો પણ હોતા નથી ને કૃતકૃત્ય હોવાથી પ્રાર્થના પણ હોતી નથી. એટલે વીતરાગ અવસ્થામાં આવી પ્રાર્થનાની જેમ તમે કહ્યું હોવું કુશળચિત્ત પણ સંભવતું નથી... સામાયિક પરિણામ એ જ સર્વશ્રેષ્ઠ ચિત્તપરિણામરૂપે વિદ્યમાન હોય છે ને તેથી મહાનતા પણ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy