SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૪, લેખાંક-૨૫ ૨૬૫ શંકા - શ્રી જિન દાન આપે છે એનો અર્થ જ એ કે એમણે હજુ કોઈ ને કોઈ ફળની આશા રહી છે. એટલે તેઓના સઘળાં પ્રયોજનો હજુ સિદ્ધ થયા ન હોવાથી તેઓમાં અકૃતાર્થતા હોય છે. તેથી જ તેઓ મહાન્ નથી એ નિશ્ચિત થાય છે. સમાધાન - તીર્થંકરપણાંના કારણભૂત વિશિષ્ટ પુણ્યકર્મ આ રીતે દાનાદિ કરાવીને જ ભોગવાતું હોય છે, એ વિના નહીં. એટલે જ તો દરેક શ્રીતીર્થંકરદેવોની દાનાદિપ્રવૃત્તિ થાય જ છે. એટલે આવી દાનાદિપ્રવૃત્તિ શ્રીતીર્થંકરોનો કલ્પ જ છે. ને આવો કલ્પ હોવાથી જ તેઓ દાન આપે છે, નહીં કે કોઈ ફળની આશાથી. માટે તેઓ અકૃતાર્થ છે એવું આ દાનાદિથી સાબિત થઈ શકતું નથી, ને તેથી તેઓ મહાન નથી એ પણ સાબિત થઈ શકતું નથી. પુણ્ય-પાપના ચાર ભાંગા હોય છે. (૧) પુણ્યાનુબંધી પુણ્ય - જેમ કોઈક પુરુષ સારા ઘરમાંથી વધુ સારા ઘરમાં જાય છે એમ પુણ્યાનુબંધી પુણ્યરૂપ સુધર્મના પ્રભાવે જીવ મનુષ્યાદિગતિમાંથી વધુ સારી દેવાદિ ગતિમાં જાય છે. (એટલે કે એ પુણ્યનો ઉદય વધુ સારા શુભભાવોને પેદા કરે છે.) (૨) પાપાનુબંધી પુણ્ય - કો'ક પુરુષ સારા ઘરમાંથી ખરાબ ઘરમાં જાય છે એમ જીવ પાપાનુબંધી પુણ્યરૂપ અસદ્ધર્મથી સારા ભવમાંથી ખરાબભવમાં જાય છે. (૩) પાપાનુબંધી પાપ : કો'ક ખરાબઘરમાંથી જેમ વધુ ખરાબ ઘરમાં જાય છે તેમ પાપાનુબંધી પાપરૂપ મહાપાપથી જીવ ખરાબ ભવમાંથી વધારે ખરાબ ભવમાં જાય છે. (૪) પુણ્યાનુબંધી પાપ : કો'ક જીવ ખરાબ ઘરમાંથી જેમ સારા ઘરમાં જાય છે તેમ પુણ્યાનુબંધી પાપરૂપ સુધર્મથી જીવ ખરાબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy