SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૪, લેખાંક-૨૪ પણ મહનીય પ્રભુમાં મહત્ત્વ હોય છે.' આમ, (૧) આ ક્ષાયિકભાવથી સંગત ઔદિયકભાવથી થયેલું બાહ્ય મહત્ત્વ છે અને અવિસંવાદી વચનથી થયેલું પૂર્વોક્ત મહત્ત્વ એ આત્યંતર મહત્ત્વ છે એવો વિવેક કરી શકાય છે. આ બન્ને પ્રકારના મહત્ત્વ પૂજ્ય પુરુષમાં હોય છે. અથવા (૨) ઔયિકભાવો અને અવિસંવાદીવચન....આ બંને સંવલિત થઈને એક જ મહત્ત્વ પેદા કરે છે. જે કથંચિદ્ બાહ્ય મહત્ત્વ અને આત્યંતર મહત્ત્વ એવા બન્ને ઉલ્લેખ પામે છે. જ્યારે બાળજીવો સમક્ષ વર્ણન કરવાનું હોય ત્યારે બાહ્યસમૃદ્ધિની પ્રધાન વિવક્ષા હોવાથી એ બાહ્ય મહત્ત્વ કહેવાય છે ને જ્યારે પંડિતજીવો સમક્ષ વર્ણન કરવાનું હોય ત્યારે અવિસંવાદી વચનની પ્રધાન વિવક્ષા હોવાથી એ આભ્યન્તર મહત્ત્વ કહેવાય છે. અથવા આવો અર્થ પણ સમજી શકાય છે કે (૧) વિશિષ્ટ સંઘયણ, રૂપ વગેરે ઔદિયકભાવ એ બાહ્ય મહત્ત્વ અને કેવલજ્ઞાન વગેરે ક્ષાયિકભાવ એ આભ્યન્તર મહત્ત્વ. આમ બન્ને સ્વતંત્ર મહત્ત્વ થયા. અથવા (૨) ક્ષાયિક ભાવવિશિષ્ટ ઔયિકભાવ એ જ એક વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ છે જે કથંચિદ્ બન્ને ઉલ્લેખ પામે છે. એટલે કે ઔદિયકભાવને મુખ્ય કરવાની વિવક્ષા હોય ત્યારે એ બાહ્ય મહત્ત્વ કહેવાય છે ને ક્ષાયિકભાવને મુખ્ય કરવાની વિવક્ષા હોય ત્યારે એ આત્યંતર મહત્ત્વ કહેવાય છે. ૨૫૩ આવી ક્ષાયિકભાવથી યુક્ત બાહ્યસંપદ્ અન્ય માયાવી જીવોમાં હોતી નથી. એટલે કદાચ વિકુર્વણા દ્વારા સમવસરણાદિ જોવા મળે તો પણ અસાધારણ મહત્ત્વ સિદ્ધ થતું નથી. ને તેથી તેઓ અંગે ‘આ મહાન્ છે' એવી બુદ્ધિ ધર્મજનિકા બની જવાનો પ્રસંગ આવતો નથી. (અતિપ્રસંગ નામનો દોષ રહેતો નથી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy