SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૨૩ ૨૩૫ આવા ત્રણ પ્રકાર ચારિત્ર, સમ્યક્ત અને મિથ્યાદર્શનની ભૂમિકા પર ઊભા છે. માટે શક્તિને અનુસરીને ગુણી અને ગુણરાગી એ બે પ્રકારમાં સ્વાભાવિક રીતે જ વર્તવું. આ પ્રમાણે માર્ગસ્થિત આચારને અનુસરીને પ્રવૃત્ત થયેલી માર્ગદષ્ટિથી જ પરમાનન્દ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. શ્રતોક્ત માર્ગમાં (શ્રુત વ્યવહારમાં) ફેરફાર કરીને જે આચરણો પ્રવર્તે છે તેની આ બત્રીશીમાં વિચારણા કરી છે. મુખ્યતયા એના ૪ પ્રકારો છે. (૧) જીતવ્યવહાર (૨) શિથિલાચાર (૩) સ્વચ્છંદવિહાર અને (૪) સંવિગ્નપક્ષ. આમાંનો પ્રથમ તત્ત્વજ્ઞાનથી થયો હોય છે, બીજો અને ત્રીજો મોહથી થયો હોય છે, જ્યારે ચોથો વીર્યાન્તરાયના ઉદયથી થયો હોય છે. બીજામાં પણ વર્યાન્તરાયનો ઉદય હોય છે પણ મોહનો ઉદય મુખ્ય હોય છે. ત્રીજામાં બાહ્ય દૃષ્ટિએ વધુ કઠોર દેખાતા આચાર પણ હોય, એટલે વીર્યાન્તરાયનો ઉદય એ અપેક્ષાએ ન પણ હોય. પ્રથમમાં દ્રવ્યથી શાસ્ત્રોક્તમાર્ગ કરતાં ભેદ છે પણ ભાવથી નથી માટે એ નિશ્ચયથી તાત્ત્વિક માર્ગરૂપ જ છે. બીજામાં દ્રવ્યથી અને ભાવથી ઉભયથી માર્ગભેદ થયેલ છે માટે એ માર્ગરૂપ નથી. ત્રીજામાં ગુરુકુલવાસનો ત્યાગ તેમજ અગીતાર્થોનો ગીતાર્થ અનિશ્રિત વિહાર એ અંશમાં માર્ગભેદ હોવા છતાં અન્ય અનુષ્ઠાનો શ્રતોક્ત માર્ગને વધુ નજીક હોવાનો આભાસ કરાવનારા હોઈ (અપ્રધાન) દ્રવ્યથી માર્ગભેદ નથી (એમ કહી શકાય) અને ભાવથી માર્ગભેદ છે. માટે એ ય માર્ગરૂપ નથી. કિન્તુ માર્ગાભાસ-અતાત્ત્વિક માર્ગ છે. તેથી જ, ભગવતીજીમાં આરાધક-વિરાધક ચતુર્ભગી જે કહી છે તેમાંનો માત્ર શીલની હાજરીવાળો દેશ આરાધક ભાંગો પણ આ જીવોને હોતો નથી. આમાં અલ્પદોષથી ભય પામી ગચ્છને છોડનારા અગીતાર્થે આવે છે તેમ યથાવૃંદો પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy