SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વચમાં પણ મસ્તીથી સ્વાધ્યાય કરી શકે. પણ એવી કેળવણી એકાગ્રતા ન હોય એને વિક્ષેપ લાગે.. ને એના બદલે પોતે એક અલગ કમરામાં બેસે તો સ્વાધ્યાય શાંતિથી ખૂબ સારી રીતે થવાનો અનુભવ પણ હોય. ૭૨ પણ આ રીતે એકલા બેસવાનો જ્ઞાનીઓએ નિષેધ કર્યો છે. એમાં પણ આજકાલ ભરચક વસ્તીની વચમાં ઉપાશ્રય હોય છે. આસપાસના ઘરોમાં નજર પડે તો ટી.વી. દેખાય. બહેનો વસ્ત્ર બદલતા હોય કે સૂતા હોય એવાં પણ દૃશ્ય નજર સામે આવે કે ક્યાંક ગેલેરી વગેરેમાં યુવતીઓ-છોકરીઓ ઊભી રહેતી વગેરે પણ નજરમાં આવે. એકાંત પોતે જ બ્રહ્મચર્યપાલન માટે ખતરારૂપ છે. ને એમાં આવું કંઈક નિમિત્ત મળે એટલે ખતરો ઓર વધી જાય. જ્ઞાનીઓ તો ‘પાણી પહેલાં પાળ' નીતિને વળગેલા હોય છે. એટલે મૂળથી એકાંતનો જ નિષેધ કરે છે. પ્રશ્ન : પણ એ તો હૉલમાંથી પણ એવા દૃશ્ય નજરે ચઢવા સંભવિત હોય જ છે ને ? ઉત્તર : સંભવિત તો હોય. પણ આચાર્યભગવંત - બીજા મહાત્માઓની ઉપસ્થિતિ પોતાને છેવટે શરમે પણ ગલત પ્રવૃત્તિ કરતાં રોકે છે (અર્થાત્ નજર નાખવાથી રોકે છે) ને તેથી પતનને અવકાશ રહેતો નથી. પ્રશ્ન : પણ જ્યાં નજીકમાં આવા ઘર વગેરે ન હોય.. એવા કોઈ દૃશ્યની સંભાવના ન હોય.. ને પોતે ખૂબ જ સાવધ હોય ત્યાં તો વાંધો નહીં ને ? ઉત્તર : બસ અહીં જ પંડિતજીવ ને મધ્યમજીવમાં ફેર પડી જાય છે. પોતે એકલા રૂમમાં બેસે તો સ્વાધ્યાય ખૂબ સારો થાય છે, ને જોખમ કોઈ જણાતું નથી, પણ ‘રૂમમાં એકલા બેસવું નહીં' આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy