SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પણ વૈદને યોગ્ય લાગી જાય. વૈદક શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો હોય એવી ચીજ પણ વૈદને અક્સીર દવારૂપ લાગી જાય અને એનાથી વિપરીત, વૈદકશાસ્ત્રમાં જેના ખૂબ ગુણો ગાયા હોય એવી દવા પણ વૈદને ‘સાવ ઊલટી પડશે' એવી ભાસે ને તેથી વૈદ એનો સદંતર નિષેધ કરે. ડાહ્યો દર્દી શું કરે ? વૈદકશાસ્ત્રમાં શું કહ્યું છે (થીયરી) ? એને મહત્ત્વ આપે કે વૈદ શું કહે છે (પ્રેક્ટીકલ) એને મહત્ત્વ આપે? સ્પષ્ટ છે કે વૈદની આશા કે જે વૈદકશાસ્ત્રના પ્રેક્ટીકલરૂપ છે એનો જ સ્વીકાર કરશે. આવું જ આત્મા માટે પણ છે. આત્માને કર્મરોગ વળગેલો છે જેની દવા રૂપે ધર્મ છે. બધાં જ ધર્મશાસ્ત્રો આ રોગની ચિકિત્સા માટેનાં વૈદકશાસ્ત્રો જેવા છે જેના મૂળભૂત પ્રણેતા છે શ્રીતીર્થંકરભગવંતો. આ શાસ્ત્રોમાં આત્મા માટે લાભકર્તા (ઉપાદેયકલ્પ્ય) જે કાંઈ કહ્યું છે ને નુક્શાનકર્તા (હેય-અકલ્પ્ય) જે કાંઈ કહ્યું છે. આ બધી જિનાજ્ઞા એ થીયરી છે. સંવિગ્નગીતાર્થ ગુરુભગવંત વૈદના સ્થાને છે. તેઓ દેશ-કાળ-વ્યક્તિ-વ્યક્તિનો ભૂતકાળઆસપાસનું વાતાવરણ સંઘયણ.. વગેરેને નજરમાં રાખીને કયા જીવે કઈ ધર્મસાધના કેવી રીતે - ક્યારે - કેટલી માત્રામાં કરવી આ બધો નિર્ણય કરે છે. આ ગુર્વાશા છે. એ થીયરીરૂપ જિનાજ્ઞાના પ્રેક્ટીકલ સ્વરૂપ છે. ક્યારેક એવું પણ બને કે શાસ્ત્રોમાં જેનો નિષેધ હોય એવું પણ કંઈક કરવાનું ગુરુભગવંત કહે ને ક્યારેક કલ્પ્સને પણ સંવિગ્ન ગીતાર્થ (વૈદ)અકલ્પ્ય કહી દે. શ્રી પ્રશમરતિશાસ્ત્ર (૧૪૫)માં કહ્યું જ છે કે- પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર કે ઔષધ વગેરે કંઈક શુદ્ધ-કલ્પ્ય વસ્તુ પણ (અમુક પરિસ્થિતિમાં) અકલ્પ્ય બની જાય છે અને અકલ્પ્ય વસ્તુ પણ કલ્પ્ય બની જાય છે. આવા અવસરે સાધક જીવ શાસ્ત્ર વચનરૂપ જિનાજ્ઞાને નહીં પણ ગુર્વજ્ઞાને જ અનુસરે છે. આનો અર્થ સ્પષ્ટ છે કે જિનાજ્ઞા કરતાં પણ ગુર્વાજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy