SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૬ ૫૧ નિરવદ્ય વચન કોને કહેવાય ? આ ભેદ જેઓ જાણતા નથી તેઓને તો એક શબ્દ પણ બોલવાનો અધિકાર નથી, તો દેશના આપવાની તો વાત જ ક્યાં ?” આમ, નક્કી થયું કે શ્રોતા બાળ-મધ્યમ વગેરે કેવો છે ? એ જાણીને દેશના આપવી જોઈએ. એટલે હવે બાળજીવ કોને કહેવાય? વગેરે આપણે વિચારવું જોઈએ. જેઓ માત્ર બાહ્ય વેશ-દેખાવને જ મુખ્યતા આપનાર હોય છે તે જીવો બાળ છે. જેઓ વેશને અનુરૂપ આચરણને મુખ્ય કરનારા હોય છે તેઓ મધ્યમ છે, અને જેઓ સર્વ પ્રયત્નપૂર્વક શાસ્ત્રતત્ત્વોનેમૂળસિદ્ધાન્તોને મુખ્ય કરનાર હોય છે તેઓ પંડિત છે. બાળજીવ ઃ માત્ર ગૃહત્યાગ, સાધુવેશ વગેરે જોવા મળે એટલે આ જીવો એ સાધુવેશધારીને “ગુરુ” તરીકે સ્વીકારી લે છે, અને પછી એમના દોરવાયા દોરવાય પણ છે. તેઓનું આચરણ વેશને અનુરૂપ છે કે નહીં? સામાન્ય સજ્જનને ઉચિત છે કે નહીં? તે તે સાધુના પોતાના શાસ્ત્રમાં કહ્યા મુજબનું છે કે નહીં ? આવું કશું જોવાની જરૂર એમને લાગતી જ હોતી નથી. વેશ જોઈ લીધો એટલે ભયો ભયો... કેટલુંય વિરુદ્ધ આચરણ જોવા મળતું હોય. કેટલાય શિષ્ટો એ સામે આંગળી ચિંધણું કરતા હોય, તો પણ એમની એક જ વાત હોય. ભગવાનનો વેશ છે ને.... અમારે ઝુકવાનું... બાપજી... બાપજી.... કરવાનું... માનસન્માન આપવાનું ને એમની ઈચ્છાઓ પૂરી કરવાની વિપરીત માંગણી કરે તો પણ “મહારાજને ના થોડી પડાય ? લાવી આપો.” આવું વિચારે, પણ “આવી માંગણી કરનાર સાધુ મહારાજ હોય જ ન શકે આવો વિચાર સુધ્ધાં કરવાની એમની ભૂમિકા જ હોતી નથી. ને તેથી એવી વિપરીત ચીજ પણ લાવી આપે જે સામા વેશધારીનું પતન પણ કરાવી શકે છે. માટે બાળજીવને અસદારંભી કહ્યો છે, એ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy