SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ બત્રીશી-૧, લેખાંક-૪ હોવાથી એ અશક્ય બનતી નથી. આવી પ્રસન્નતાજનક ક્રિયારૂપ કે સેવારૂપ આરાધનાના પાત્ર તરીકેની આરાધ્યની પ્રતીતિ એ ભક્તિ તરીકે પ્રસિદ્ધ છે તો તમે કેમ ઇચ્છાને ભક્તિ તરીકે જણાવી રહ્યા છો? સમાધાન : તમે કહી એવી “આરાધ્ય તરીકેની પ્રતીતિરૂપ ભક્તિનું ફળ જેમ ભવનિસ્તાર છે તેમ પોતે ભવસમુદ્રને તરી જવાની વાંછારૂપ ભક્તિનું ફળ પણ ભવનિસ્તાર હોવાથી એને પણ ભક્તિરૂપે કહેવામાં કાંઈ વાંધો નથી. સુપાત્ર સમજીને ભક્તિથી અપાતું દાન એ પાત્રદાન. એના ચાર ભાંગા છે. (૧) સંયતને શુદ્ધદાન (૨) સંયતને અશુદ્ધદાન (૩) અસંયતને શુદ્ધદાન અને (૪) અસંયતને અશુદ્ધદાન. આ ચારમાંથી પ્રથમ ભાંગો અત્યંત શુદ્ધ છે, કારણ કે એનાથી માત્ર કર્મનિર્જરા જ થાય છે, કોઈ પાપ બંધાતું નથી. જેઓએ પૂર્વબદ્ધ પાપકર્મોનો નિંદા-ગહ વગેરેથી નાશ કર્યો છે, ભવિષ્યકાલીન પાપને પચ્ચષ્માણ દ્વારા અટકાવ્યું છે ને વર્તમાનકાલીન પાપને સંવર દ્વારા = જયે ચરે, જય ચિઠે. વગેરે મુજબ જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવી વગેરરૂપ જાગૃત-સાવધાન સંયમ દ્વારા અટકાવ્યું છે, આવા સુપાત્રરૂપ સાધુભગવંતને ગોચરી સંબંધી દોષરહિત શુદ્ધ અન્ન વગેરેનું દાન કરીને શ્રાવકો પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે તેને વિપુલ નિર્જરા સાથે છે, ને એટલે એના પ્રભાવે) સાનુબંધ પાપ બાંધતા નથી. આમાં આ પુણ્ય જે બંધાય છે તે પુણ્યાનુબંધી હોવાથી મોક્ષપ્રતિ પ્રમાણમાં પ્રતિબંધક બનતું નથી, પણ ઉપરથી પ્રથમ સંઘયણ વગેરે સામગ્રી પૂરી પાડીને મોક્ષને અનુકૂલ બની જાય છે. (૨) સંયતને અશુદ્ધદાન - આ ભાંગામાં ફળ મળવામાં ભજના છે, અર્થાત્ વિકલ્પ છે. આગમોમાં જેવા વિકૃષ્ટ તપ (અઠમ ને અઠમની ઉપરનો તપ એ વિકૃષ્ટ તપ કહેવાય છે) કહ્યા છે તેવા તપને વારંવાર આચરનાર વિકૃષ્ટ તપસ્વીને આપવામાં આપતું અશુદ્ધદાન કે દુકાળ – જંગલ વગેરેમાં દીર્ઘવિહાર - ગ્લાનવાધિરૂપ આગાઢ કારણે, વિકૃષ્ટતપસ્વી ન હોય એવા પણ સાધુને આપેલું અશુદ્ધદાન, દાતા ગૃહસ્થ અને લેનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy