SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના સર્વજ્ઞકથિત અને ગણધર ગુમ્મિત પદાર્થો અદ્ભૂત-અલૌકિકઅનુપમ હોય જ એ નિઃશંક છે. આવા પદાર્થોને ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજનો તર્કપૂત ક્ષયોપશમ મળે. એટલે રજુઆત પણ ધારદાર બને જ. પ્રભુ શાસનના આવા અદ્ભુત રહસ્યોનો સામાન્ય ક્ષયોપશમવાળા સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાઓને પણ પરિચય મળે એ માટે પૂ. આ. ભ. શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજે પુનઃ પુનઃ પ્રેરણા કરી...ને પ્રસ્તુત લેખમાળાનો પ્રારંભ થયો, જેના પ્રથમ બે બત્રીશીના ૧૪ લેખો પ્રસ્તુત પુસ્તકમાં પ્રકાશિત થઈ રહ્યા છે. સિદ્ધાન્તમહોદધિ સ્વ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા., ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા., સહજાનંદી સ્વ. પૂ. આ. શ્રી વિજય ધર્મજિન્સૂરીશ્વરજી મ. સા., શ્રી સૂરિમંત્રના પરમસાધક સ્વ. પૂ.આ.શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મ. સા. આ સુવિહિત ગુરુપરંપરાના ચરણોમાં નતમસ્તકે વંદના... પ્રભુશાસનની અનુપમ વાતોને સ૨ળ ભાષામાં સમજવા માટે પ્રસ્તુત પ્રકાશનનો સહારો લેવાની નમ્ર વિનંતી. 卐 વૈ. સુ. ૧, ૨૦૬૩, પાંચગની Jain Education International પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનખાતેથી લેનાર શ્રી શ્વે. મૂર્તિ. જૈન સંઘ-કુરારવિલેજ શ્રી ધર્મસૂરિ માર્ગ, મલાડ (ઇસ્ટ) ફરી ફરી અભિનંદન For Private & Personal Use Only ગુરુપાદપદ્મરેણુ અભયશેખર WWE.
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy