SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨0 બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે લાગણી એના પર પેદા થાય છે જે દાતા તરીકે પ્રતીત થાય. એટલે દાતા તરીકે “જૈન” પ્રતીત થવો જોઈએ. ‘ફલાણો ફલાણો શ્રાવક નહીં. અર્થાત્ “ફલાણાએ આવું દાન આપ્યું...” એમ પ્રશંસા થાય તો કાંઈ કોઈને બોધિપ્રાપ્તિ થતી નથી, પણ “જૈનોએ આવું દાન આપ્યું.' એમ પ્રશંસા થાય તો જ જૈનધર્મનું આકર્ષણ થવાથી બોધિપ્રાપ્તિ થાય છે. માટે, દાનશાળાદિ કરતી વખતે (પુર વગેરે આફતો વખતે રસોડું કરવાનું હોય. કામચલાઉ નિવાસ આપવાનો હોય કે રોકડ રકમ આપવાની હોય...... આ બધામાં) સ્વનામને દાતાએ ગૌણ કરવું જોઈએ ને “જૈનો આ કરી રહ્યા છે” એવી રીતે જ આ કરવું જોઈએ. ક્યારેક સ્વનામને ગૌણ કરવા છતાં જૈનધર્મની પ્રશંસા થવાની શક્યતા હોતી નથી. તેમ છતાં, મારી નજર સામે જીવો ભૂખ વગેરેના દુ:ખથી હેરાન થઈ રહ્યા છે, અને તોય છતી શક્તિએ હું કાંઈ નહીં કરું તો મારું દિલ કઠોર થઈ જશે. અને કઠોર બનેલું દિલ ધર્મ માટે અયોગ્ય છે. તેથી હું ધર્મ માટે અયોગ્ય ન બની જાઉં.... આવી ભાવનાથી પણ દાનશાળાદિ કરવા પડે. ક્યારેક અન્યધર્મીઓ પણ એવા દયા-દાનાદિ કરતા હોવાથી જૈનધર્મની કોઈ વિશેષરૂપે પ્રશંસા થવાની શક્યતા ન હોય તો પણ, જો આગેવાન જૈનો તેવા કાર્ય ન કરે તો જૈનધર્મની નિંદા વગેરે થવા દ્વારા લોકો બોધિદુર્લભ બનવાની શક્યતા નિર્માણ થાય. આવી પરિસ્થિતિમાં પણ “લોકો બોધિદુર્લભ ન બનો' એવા શુભ આશયથી દાનશાળાદિ કરવા પડે. આજકાલ જાહેરાતનો યુગ છે. અલબત્ત પોતાના નામની વાહવાહ, પ્રશંસા, જાહેરાતથી તો દૂર જ રહેવાનું છે. પણ જૈનધર્મની તો જેટલી વાહ-વાહ વધુ થાય એ ઇચ્છનીય જ છે. જેથી સામાન્ય પ્રજાના માનસમાં “જૈનો તો ખાલી મંદિરમાં ને ઓચ્છવ-મહોત્સવમાં જ ખર્ચા કરે છે, માનવો માટે કશું કરતા નથી” વગેરે માન્યતા દ્વારા જૈન ધર્મની નિંદા-અવહેલના ઘર ન કરી જાય. ને ઉપરથી “જૈનો પ્રજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy