SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૧૨ ૧૧૫ લક્ષણવંતા રત્નનો એવો સ્વભાવ હોય છે કે એ અશુદ્ધ હોય ત્યારે પણ બીજા રતો કરતાં અધિક દીપ્તિમંત હોય છે. આ ભાવનામય જ્ઞાન જાત્યરત્નની દીપ્તિ જેવું તેજસ્વી હોય છે. અર્થાત્ અન્ય જ્ઞાન કરતાં અધિક જ્ઞાનપ્રકાશ ફેલાવનારું હોય છે. હવે, આ શ્રુતજ્ઞાન વગેરેની વિદ્યમાનતામાં જીવોના પરિણામ કેવા થાય છે ? એનો થોડો વિચાર કરીએ. જેને શ્રુતમયજ્ઞાન થાય છે એને, પોતાને જેવો અભિપ્રાય બંધાયો છે, એ સિવાયનો બીજો કોઈ અભિપ્રાય ઉપસ્થિત જ થતો ન હોવાથી પોતે સમજેલો અર્થ જ સર્વથા અવિરુદ્ધપણે સત્ય લાગે છે. તેથી પોતાની એ માન્યતાનો કે જેને “દર્શન પણ કહેવાય છે, તેનો) “અમારું દર્શન સુંદર છે, અન્ય દર્શન નહીં' એવો કંઈક આગ્રહ બંધાય છે. આ આગ્રહ પણ યોગ્ય પ્રજ્ઞાપનાથી દૂર થાય એવો હોય છે, માટે કંઈક આગ્રહ' એમ કહ્યું છે. જો એ દૂર ન થાય એવો ગાઢ બન્યો હોય તો મિથ્યા અભિનિવેશરૂપ બનવાથી એનું જ્ઞાન શ્રુતજ્ઞાનરૂપ ન રહેતાં મિથ્યાજ્ઞાનરૂપ બની જાય છે. એટલે બૌદ્ધદર્શન વગેરેમાં પણ રહેલા કોઈ સાધકને “સર્વ ક્ષણિકે આ જ વાત વારંવાર સાંભળી હોવાથી અને પદાર્થો કથંચિદુ નિત્ય પણ છે એ વાત ક્યારે ય સાંભળી ન હોવાથી આવી માન્યતા ઘડાયેલી હોય છે કે વિશ્વમાં રહેલી બધી જ વસ્તુઓ ક્ષણિક છે – અનિત્ય છે. આ માન્યતાનો એને કંઈક આગ્રહ પણ બંધાયેલો હોય છે. એટલે યોગ્ય પ્રજ્ઞાપના ન મળે ત્યાં સુધી એ નિત્યવાદનું ખંડન કરે અને અનિત્યવાદનું સમર્થન કરે આવું પણ બનતું જ રહે છે. પણ એટલા માત્રથી બેધડકપણે એને ગાઢમિથ્યાત્વી કહી દેવાય નહીં. આપણા શાસ્ત્રોમાં પણ, ગુરુનિયોગના કારણે (ગુરુ ભગવંત તરફથી મળેલી એવી સમજણના કારણે) ક્યારેક વિપરીત શ્રદ્ધા હોવા છતાં સમ્યક્ત જળવાઈ રહેવાનું કહ્યું છે. બૌદ્ધદર્શન વગેરેમાં રહેલ આ જીવોને વસ્તુના ક્ષણિકત વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy