SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૧૨ ૧૧૩ તથા આ ઔત્સર્ગિકવિધાન છે? કે આપવાદિક? નિશ્ચયમાન્ય વાત છે કે વ્યવહારમાન્ય ? વગેરે નિર્ણય સૂક્ષ્મબુદ્ધિગમ્ય યુક્તિઓની વિચારણા વિના શક્ય નથી. માટે એ સૂક્ષ્મ યુક્તિઓથી યુક્ત હોય છે. તથા આ ચિન્તામયજ્ઞાન સપ્તભંગીમય સ્યાદ્વાદથી સંકળાયેલું હોય છે. આશય એ છે કે તેલના બિંદુની જેમ વિસ્તરવાના સ્વભાવવાળું હોવાથી અને સૂક્ષ્મબુદ્ધિગમ્ય વિચારણાઓથી યુક્ત હોવાથી “પટોડસ્તિ' આટલું સાંભળવા પર “ઘડો છે' આવું શ્રુતજ્ઞાન થયા પછી તરત વિચાર આવે છે કે “ઘડો છે, તો શું સર્વથા (= વસ્તુઓનું જે જે સ્વરૂપે અસ્તિત્વ સંભવિત હોય તે બધા સ્વરૂપે) છે ? અર્થાત્ ઘડો ઘડાસ્વરૂપે તો છે જ, પણ એ રીતે પટ વગેરે રૂપ કે જે એના માટે પરરૂપ છે, તે રૂપે પણ ઘડો વિદ્યમાન છે ? વગેરે.... આવો વિચાર આવવા પર તરત પોતાના ક્ષયોપશમના પ્રભાવે ઘડો સ્વસ્વરૂપે સત્ છે, પરસ્વરૂપે અસત્ (અવિદ્યમાન) છે.. વગેરે ખ્યાલ આવે છે. એટલે કે “સ્વાદસ્પેવ. સ્ટાન્નાયેવ....' વગેરે સ્વરૂપ સપ્તભંગી એના બોધમાં હુરે છે. આમ, મહાવાક્યર્થજન્ય ચિન્તામયજ્ઞાન સપ્તભંગીમય સ્યાદ્વાદથી યુક્ત હોય છે. હવે, ત્રીજા ભાવનામયજ્ઞાનનો વિચાર કરીએ. ને હિંસાત્ સર્વભૂતાન આવા શાસ્ત્રવચનનો મહાવાક્યાર્થરૂપ બોધમાં એવો નિર્ણય તો થયો કે, આમાં અવિધિકૃત હિંસાનો જ નિષેધ છે. જિનમંદિર વગેરે સંબંધી વિધિહિંસા જિનોપદિષ્ટ હોવાથી, એ નિષેધનો વિષય નથી. મહાવાક્યર્થમય આવા બોધ પર પણ કોઈને શંકા થઈ શકે છે કે - “જિનમંદિર વગેરે સંબંધી વિધિહિંસા ભલે ને જિનોપદિષ્ટ હોય. પણ એટલા માત્રથી એમાં મરતા જીવોની પીડા થોડી દૂર થઈ જાય છે? માટે આ વિધિહિંસાથી પણ અધર્મ થતો હશે તો ?” આવી વિપરીત અર્થની શંકાનું જેનાથી દઢપણે નિરાકરણ થઈ જાય એવું “કોઈપણ અનુષ્ઠાન ધર્મરૂપ બને કે અધર્મરૂપ? એમાં જિનાજ્ઞા જ મુખ્ય આધાર છે” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy