SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका-८ उत्तमपुरुषप्रयोगो भवति, यथा 'अहं जानामि' इत्यादौ, परंतु 'आत्म'इतिपदसमभिव्याहारे क्रियापदे प्रथमपुरुषप्रयोगो भवति, यथा 'आत्मा जानाति' इत्यादौ, न कदाचिदपि 'आत्मा નાનામિ' ત્યેવ થિપિ શિષ્ટઃ પ્રયુક્તે । ગત વ વ ‘અહં સુધી' ‘અહં જ્ઞાની' इत्याद्यात्मधर्मोल्लेखिसंवेदनवद् 'अहं गौर: ' ' अहं रोगी' इत्यादिशरीरधर्मोल्लेखिसंवेदनान्यपि મવન્ચેવ । શ્ચિ યથા ‘મમ શરીર' કૃતિ પ્રતીયતે, ‘મમાત્મા' ત્યપિ યથા પ્રતીયતે, 7 તથા ‘મમાદં' કૃતિ દ્રષિવૃત્તિ પ્રતીયતે। તાપિ સૂયતિ યત્ ‘અહં' કૃતિ થ: શબ્દ: स न 'शरीर' शब्दसमानार्थको न वा 'आत्म'शब्दसमानार्थक इति । ६८ ततश्च 'अहं गौर:' इत्यादिना 'अहं'पदवाच्येऽर्थ एव गौरत्वबोधनाद् न तेन 'आत्मा न रूपवान्' इत्यादिवाक्यजन्यस्यात्मनि रूपाभावख्यापकस्य बोधस्य बाध इति तस्य वाक्यस्य સંવેદન થતું નથી. તથા ‘અહં' શબ્દ વપરાયો હોય ત્યારે ક્રિયાપદમાં ઉત્તમ પુરુષના રૂપનો ઉપયોગ થાય છે, જેમકે બહું નાનમિ ‘હું જાણું છું’ વગેરેમાં. પણ જ્યારે ‘આત્મા' શબ્દ વપરાયો હોય છે ત્યારે ક્રિયાપદમાં પ્રથમ પુરુષના રૂપનો પ્રયોગ થાય છે, કેમકે આત્મા જ્ઞાનાતિ ‘આત્મા જાણે છે' વગેરેમાં, ક્યારેય પણ કોઈપણ શિષ્ટ પુરુષ ‘આત્મા જ્ઞાનામિ' ‘આત્મા જાણું છું' આત્મકર્તૃક આવો પ્રયોગ કરતો નથી. આમ ‘અદં’ ‘હું’શબ્દ શરીરાનુવિદ્ધ આત્માને જણાવનાર હોવાથી જ ‘અહૈં સુદ્ધી' ‘અહં જ્ઞાની' ‘હું સુખી' ‘હું જ્ઞાની' વગેરે, સુખ-જ્ઞાનાદિરૂપ આત્મધર્મના ઉલ્લેખવાળા સંવેદન અને વાક્યપ્રયોગની જેમ ‘હું ગોરો’ ‘હું રોગી’ વગેરે ગૌરત્વ-રોગાદિરૂપ શરીરધર્મના ઉલ્લેખવાળા સંવેદન અને વાક્યપ્રયોગો પણ થાય જ છે. વળી, જેમ ‘મારું શરીર' એવી પ્રતીતિ થાય છે, ‘મારો આત્મા’ એવી પણ પ્રતીતિ થાય છે, એમ ‘મારો હું' એવી પ્રતીતિ ક્યારેય થતી નથી. આ પણ એ જ સૂચન કરે છે કે ‘હું' એવો જે શબ્દ છે તે નથી શરીરશબ્દસમાનાર્થક કે નથી આત્મશબ્દસમાનાર્થક. તેથી ‘હું ગોરો છું’ એવું વાક્ય ‘હું’ શબ્દના વાચ્યાર્થમાં (શીરાનુવિદ્ધ આત્મામાં) ગોરાપણાનો બોધ કરાવે છે, પણ કેવળ આત્મામાં નહીં, અને તેથી એ ‘આત્મા રૂપવાન નથી' એવા વાક્યથી કેવળ આત્મામાં રૂપાભાવને જણાવનાર જે બોધ થાય છે તેનું બાધક બની શકતું નથી. આમ, ‘આત્મા રૂપવાન્ નથી' એવું વાક્ય લોકથી = ‘હું ગોરો છું' વગેરે રૂપ લોકપ્રતીતિથી અબાધિત અર્થનું બોધક હોવું નિરાબાધ હોવાથી એ વ્યવહારનયાનુસારી કેમ ન કહેવાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy