SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ व्यवहारनयस्य लौकिकसमत्वम् 'असावध्वा याति' इत्यत्राध्वपदस्याध्वनि गच्छति पुरुषसमुदाये लक्षणा, नैरन्तर्यप्रतीतिः प्रयोजनम् । 'कुण्डिका श्रवति' इत्यत्र कुण्डिकापदस्य कुण्डिकास्थजले लक्षणा, अनिबिडत्वप्रतीतिः प्रयोजनम् । यतश्चासौ नय उपचारबहुलो विशेषग्राही चातः स विस्तृतार्थः, गङ्गाप्रवाहवद् गङ्गातीरस्याप्यस्य नयस्य गङ्गापदार्थत्वेन संमतत्वात्, विशेषाणामनेकत्वाच्च । तथा, लोकव्यवहारानुसारित्वाच्चास्य 'व्यवहारनयः' इति नामोपपद्यते । लोकव्यवहारानुसारित्वञ्चैवं ज्ञेयम् । वस्तुतः पञ्चवर्णावयवारब्धशरीरत्वेन यः पञ्चवर्णवांस्तस्मिन् भ्रमरे 'कृष्णो भ्रमरः' इत्येवं श्यामत्वादेरेव विनिश्चयादेष लौकिकः । यथा हि लोको निश्चयतः पञ्चवर्णेऽपि भ्रमरे कृष्णवर्णत्वमेवाङ्गीकरोति तथाऽयमपीत्यस्य लौकिकसमत्वम् । अत एव तत्त्वार्थभाष्ये 'लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः' इत्येवमुक्तम् । न च ૫૨ ૨હેલ તૃણ વગેરેમાં લક્ષણા છે, અને ‘પુષ્કળ બળી ગયું છે' એવી પ્રતીતિ કરાવવી એ પ્રયોજન છે. (‘ઘાસ બળે છે' એમ જ બોલવામાં આવે તો એકભાગનું થોડું ઘાસ બળ્યું છે એવો જ સાંભળનારને ભાસ થવાની સંભાવના છે.) ‘આ માર્ગ જાય છે' આવા પ્રયોગમાં અધ્વા=માર્ગપદની માર્ગ ૫૨ જનારા મુસાફરોમાં લક્ષણા છે. નિરંતરતાની પ્રતીતિ એ પ્રયોજન છે. (‘મુસાફરો જાય છે' એમ જ બોલવામાં ક્યારેક અધવચ્ચે પ્રવાસ અટકી જાય... કે ટૂકડે-ટૂકડે પ્રવાસ થાય એવું પણ ભાસી શકે. ‘માર્ગ જાય છે’ એવું સાંભળવાથી નિરંતર પ્રવાસ જણાય છે.) તથા, ‘કૂંડું ઝરે છે' માં ‘કૂંડું’ પદની કૂંડાંમાં રહેલા જળમાં લક્ષણા છે, અને કૂંડું નિબિડ નથી, (છિદ્રાળુ છે) એવી પ્રતીતિ કરાવવી એ પ્રયોજન છે. ६३ વળી આ નય ઉપચારબહુલ હોવાના કારણે તથા વિશેષગ્રાહી હોવાના કારણે વિસ્તૃતાર્થ છે. ગંગાપ્રવાહની જેમ ગંગાતીર પણ આ નયને ‘ગંગા'પદના અર્થ તરીકે સંમત છે, તેમજ વિશેષો અનેક હોય છે. માટે આ નય વિસ્તૃતાર્થ છે. તથા, લોકવ્યવહારને અનુસરનારો હોવાથી આ નયનું ‘વ્યવહારનય' એવું નામ સંગત છે. લોકવ્યવહારનું અનુસરણ આ રીતે જાણવું - જે વસ્તુતઃ પાંચે વર્ણના અવયવોથી બનેલા શરીરવાળો હોવાના કારણે પાંચે વર્ણવાળો છે તે ભમરા અંગે આ વ્યવહારનય ‘કૃષ્ણો ભ્રમરઃ' એ પ્રમાણે કાળાશનો જ વિનિશ્ચય કરે છે, માટે એ લૌકિક છે. લોક પણ નિશ્ચયથી પાંચવર્ણ ધરાવનાર ભમરાને કાળો જ માને છે. એ જ રીતે આ પણ માનતો હોવાથી એ લૌકિકસમ છે. એટલે જ તત્ત્વાર્થભાષ્યમાં ‘લૌકિકસમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy