SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ २६८ नयविंशिका-१५ तृषाशमनत्वस्यात्र माधुर्य एव कल्पनौचित्यात् । उक्तमपि हि निशीथभाष्य (गा. ४७) चूर्णी - गुणविरियं जं ओसहीण तित्त-कडुक्कसाय-अंबिलमहुरगुणतातो रोगावणयणसामत्थं एतं गुणविरियं। त्ति । अत्र हि सविशेषणे० इति न्यायेन तिक्तादीनां रसानां रोगापनयनसामर्थ्यમુક્તનિતિ | अपरञ्चैवं सति यदि पर्याया एव सन्ति, तर्हि पर्यायेषु तु भूतकालीनेभ्यः पर्यायेभ्यो वर्तमानकालीना पर्यायाः सुतरां भिन्ना एव । एवं पुंस्त्वालिङ्गितपर्यायात् स्त्रीत्वालिङ्गितः पर्यायो निर्विवादं भिन्न एव । एवमेव वचनादिष्वपि ज्ञेयम् । ततश्च कालादिभेदाद् वस्तुभेदोऽपि मन्तव्य एव ।। तदेवं शब्दनयेन स्वमते साधितेऽधुना समभिरूढनयस्तमाह - हन्त ! शब्दनयवादिन् । यदि लिङ्गवचनभिन्नानां घट-पट-स्तम्भादिशब्दवाच्यानामिवार्थानां ध्वनिभेदाद् भेदस्तवानुमतः, तर्हि घट-कुट-कुम्भ-कलशादिशब्दवाच्यानामर्थानां किमिति भेदो नेष्टः ? ध्वनिभेदस्यात्रापि શંકા - અહીં માધુર્ય કાંઈ તૃષાશમન નથી કરતું, પણ તઘુક્ત જળ જ કરે છે... અને એ જળ તો દ્રવ્ય જ છે. સમાધાન - આ શંકા બરાબર નથી, કારણ કે “સવિશેષણ વિશેષ્ય અંગે કરેલા વિધિ-નિષેધ, જો માત્ર વિશેષ્યમાં બાધિત હોય, તો વિશેષણને જ લાગુ પડી જાય છે” એવા ન્યાયે પ્રસ્તુતમાં વિશેષણભૂત માધુર્યમાં જ એ તૃષાશમનકારણત્વ માનવું ઉચિત છે. નિશીથભાષ્ય(ગાથા-૪૭)ની ચૂર્ણિમાં કહ્યું જ છે કે - ઔષધિઓનું તિક્ત-કટુકષાય-આસ્લ-મધુરગુણના કારણે જે રોગાપનયન સામર્થ્ય હોય છે તે ગુણવીર્ય છે. અહીં સવિશેષણે.' ન્યાયે તિક્ત વગેરે રસોમાં રોગને દૂર કરવાનું સામર્થ્ય જણાવેલ છે. વળી આ રીતે પર્યાયો જ જો સત્ છે, તો પર્યાયો તો ભૂતકાલીન પર્યાય કરતાં વર્તમાનપર્યાય નિર્વિવાદ ભિન્ન જ હોય છે. એમ પુલિંગથી આલિંગિતપર્યાય કરતાં સ્ત્રીત્વથી આલિંગિતપર્યાય નિર્વિવાદ ભિન્ન જ હોય છે. એ જ રીતે વચનાદિમાં પણ જાણવું. એટલે કાળાદિભેદે વસ્તુભેદ પણ માનવો જ જોઈએ. આમ શબ્દનયે પોતાનો મત સાબિત કરવા પર સમભિરૂઢનય એને કહે છે - ઓ શબ્દ નયવાદી ! જો લિંગ-વચનભિન્ન અર્થોને તું ઘટ-પટ-ખંભાદિશબ્દવાચ્ય પદાર્થોની જેમ ધ્વનિભેદના કારણે ભિન્ન માને છે, તો ઘટ-કુટ-કુંભ-કલશાદિશબ્દવાચ્ય અર્થોનો ભેદ તું કેમ માનતો નથી ? કારણ કે ધ્વનિભેદ તો અહીં પણ સમાન રીતે છે જ. વળી અર્થભેદમાં પ્રયોજક કોણ ? તો તમારે એમ જણાવવું પડશે કે વિભિન્ન લિંગવચનાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy