SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ नयविंशिका-१४ तत्र तत्र सर्वत्र सङ्ग्रहनयविषयप्रतिपक्षतया बहूनां विशेषाणामेव प्रतिपादनाच्च, न हि क्वचिदेकस्मिन्नप्यधिकारे प्रतिपक्षतया क्षणिकानामर्थानां प्रतिपादनं, सङ्ग्रहनयेन कृतं क्षणिकत्वनिरसनं वोपलभ्यते। अत एव श्रीमद्वादिदेवसूरिविरचिते प्रमाणनयतत्त्वालोकालङ्कारे तस्य स्याद्वादरत्नाकराख्यायां स्वोपज्ञव्याख्यायां चैवमधिकार :- उदाहरन्ति-विश्वमेकं सदविशेषादिति यथा ॥७-१६॥ अस्मिन्नुक्ते हि सदितिज्ञानाभिधानानुवृत्तिलिङ्गानुमितसत्ताकत्वेनैकत्वमशेषार्थानां संगृह्यते ॥१६॥ इति । अत्र मूलसूत्रं विश्वमेकं... इति प्रणीतं, न तु विश्वं नित्यं, सदविशेषादिति... इति । वृत्तावपि 'एकत्वमशेषार्थानां सङ्गृह्यते' इत्युक्तं, न तु 'नित्यत्वमशेषार्थानां सगृह्यते' इति । ततश्च सङ्ग्रहनयाभिप्राय एककरणांश एव न तु ध्रौव्यांश इति निःशङ्कम्। ततश्च ध्रौव्यांशग्राहिणो नैगमस्यैव प्रबलतरद्रव्यार्थिकत्वम् । अत एव न्यायावतारवृत्तावद्वैतवादिनो वेदान्तिनो न शुद्धद्रव्यास्तिकत्वमुक्तं, किन्तु શાસ્ત્રોમાં તે તે સ્થળે સંગ્રહનયના વિષયના પ્રતિપક્ષી વિષય તરીકે અનેક વિશેષોનું જ પ્રતિપાદન મળે છે, કોઈ એકાદ અધિકારમાં પણ એના પ્રતિપક્ષરૂપે ક્ષણિક પદાર્થોનું પ્રતિપાદન જોવા મળતું નથી, કે સંગ્રહાયે ક્ષણિકત્વનું ખંડન કર્યું હોય એવું જોવા મળતું નથી. એટલે જ શ્રીમદ્ વાદિદેવસૂરિ મહારાજે રચેલા પ્રમાણનયતત્તાલોકાલંકાર ગ્રન્થમાં અને તેની સ્યાદ્વાદરત્નાકર નામની સ્વોપજ્ઞ વ્યાખ્યામાં નીચે મુજબનો અધિકાર મળે છે. “ઉદાહરણ આપે છે-જેમ કે આખું વિશ્વ એક છે, કારણ કે સતુથી અલગ કશું નથી. ૭-૧૬/?” તથા આની વૃત્તિમાં “આ=“સ” એવું કહેતાંની સાથે જ અશેષ પદાર્થોનો એક તરીકે સંગ્રહ થઈ જાય છે, કારણ કે “સ” એવું જ્ઞાન કે “સ” એવું અભિધાન.. આ બન્નેની સર્વ પદાર્થોમાં અનુવૃત્તિ હોય છે. એટલે આ અનુવૃત્તિ લિંગ બનીને એ સર્વ પદાર્થોમાં સત્તાની અનુમિતિ કરાવે છે અને આમ બધામાં સત્તા જણાવાથી બધા પદાર્થો ‘સત્' તરીકે એકરૂપે સંગૃહીત થઈ જાય છે. /૧૬/ આને વિચારીએ તો જણાય છે કે મૂળ સૂત્ર વિશ્વમેવં... વગેરે રૂપે કહ્યું છે, પણ “વિશ્વ નિત્ય છે, કારણ કે સત્થી અલગ નથી....' આવું સૂત્ર પ્રણયન કર્યું નથી. તથા વૃત્તિમાં પણ “અશેષ પદાર્થોનું એકત્વ સંગૃહીત થાય છે” એમ કહ્યું છે પણ ‘અશેષ પદાર્થોનું નિત્યત્વ સંગૃહીત થાય છે.” એમ નથી કહ્યું. એટલે સંગ્રહાયનું જોર એકકરણ અંશમાં છે પણ ધ્રૌવ્યાંશમાં નથી એ વાત નિશ્ચિત છે. તેથી ધ્રૌવ્યાંશગ્રાહી નૈગમનય જ પ્રબળતર દ્રવ્યાર્થિક છે. એટલે જ ન્યાયાવતારની વૃત્તિમાં અદ્વૈતવાદી વેદાન્તીને શુદ્ધદ્રવ્યાસ્તિક નથી કહ્યો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy