SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ऊर्ध्वतासामान्ये नैगमेन परापरत्वाभावापत्तिः १७१ यो नैगमभेदश्छिद्यमानं दारुं प्रस्थकतया गृह्णाति तस्यापि प्रस्थक एव विषयः, 'अयं प्रस्थकः' इत्येव बोधोदयात् । एवमेव मृत्पिण्डं घटं मन्यमानस्य नैगमस्येव शिवकादिकं घटं मन्यमानस्य नैगमस्यापि घट एव विषयः, द्वयोरपि 'अयं घटः' इत्येव बोधोदयात् । नन्वेवं तूर्खतासामान्ये परापरत्वाभावापत्तिः, घटस्यैवोर्ध्वतासामान्यत्वात् । तद्वारणार्थमेवं मन्तव्यं - यो नैगमभेदो मृद्रव्य-पिण्ड-शिवकादिष्ववस्थास्वन्वयितया मृद्रव्यं पश्यति स परो नैगमः, मृद्रव्यलक्षणपरोर्ध्वतासामान्यविषयकत्वात्, यश्च तास्ववस्थास्वन्वयितया घटं पश्यति, स अपरो नैगमः, तद्विषयस्य घटलक्षणोर्ध्वतासामान्यस्य मृल्लक्षणोर्ध्वतासामान्यापेक्षयाल्पविशेषेष्वन्वयित्वादिति चेन्न, व्यवहारनयेन तस्याल्पविशेषेषु विश्रान्तत्वेऽपि नैगमनयेन तथात्वाभावात्। इदमुक्तं भवति-व्यवहारनयेनात्र मृत्त्वं घटत्वञ्चोर्ध्वतासामान्ये। तत्र मृत्त्वं मृद्रव्यादिकेषु कपालान्तेषु विशेषेष्वन्वयि, घटत्वं तु घटस्य नूतनत्व-पुराणत्वाद्यवस्थालक्षणेषु विशेषेष्वेवेति तस्यापरत्वं तदपेक्षया मृत्त्वस्य च परत्वम्। परन्तु नैगमस्य न तथा। તરીકે જુએ છે તેનો જેમ “પ્રસ્થક' એ વિષય છે, કારણ કે “આ પ્રસ્થક છે' એવો બોધ એને થાય છે, એમ જે નૈગમભેદ છેદાતા કાષ્ઠને પ્રસ્થક તરીકે જુએ છે તેનો પણ પ્રસ્થક જ વિષય છે, કારણ કે એને પણ આ પ્રસ્થક છે” એવો જ બોધ થાય છે. એ જ રીતે માટીના પિંડાને ઘડો માનનાર નૈગમની જેમ શિવકાદિને ઘડો માનનાર નગમનો પણ ઘડો જ વિષય હોય છે, કારણ કે બન્નેને “આ ઘડો છે' એવો જ બોધ થાય છે. શંકા - આ રીતે તો ઊર્ધ્વતા સામાન્યના પર-અપર એવા બે ભેદ અસંગત બની જશે, કારણ કે ઘડો જ ઊર્ધ્વતા સામાન્ય છે. એટલે, આવી આપત્તિ ન આવે એ માટે આ પ્રમાણે માનવું જોઈએ - જે નૈગમભેદ મૃદ્ધવ્ય-પિંડ-શિવકાદિ અવસ્થાઓમાં અન્વયી તરીકે મૃદ્રવ્યને જુએ છે તે પરમૈગમ છે. કારણ કે મૃદ્દવ્યરૂપ પરઊર્ધ્વતાસામાન્યને જુએ છે અને જે તે અવસ્થાઓમાં અન્વયી તરીકે ઘડાને જુએ છે તે અપરનૈગમ છે, કારણ કે એના વિષયભૂત ઘટાત્મક ઊર્ધ્વતાસામાન્ય એ, મૃદ્દવ્યાત્મક ઊર્ધ્વતાસામાન્યની અપેક્ષાએ અલ્પ વિશેષમાં અન્વયી છે. સમાધાન - તમારી શંકા બરાબર નથી, કારણ કે ઘડો અલ્પવિશેષોમાં અન્વયી જે ભાસે છે તે વ્યવહારનયે જ, નહીં કે નૈગમનયે પણ. આશય એ છે કે વ્યવહારનયમને પ્રસ્તુતમાં મૃત્વ અને ઘટત્વ એ ઊર્ધ્વતા સામાન્ય છે (મૃદ્રવ્ય અને ઘટ નહીં.) એમાં મૃત્વ માટીદ્રવ્યથી લઈને કપાલ સુધીના વિશેષમાં અન્વયી છે. જ્યારે ઘટત ઘડાની નૂતનત્વ-પુરાણત્વ વગેરે અવસ્થાઓરૂપ વિશેષમાં જ અન્વયી છે, માટે ઘટત્વ અપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy