SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ आदिनैगमेन नमस्कारस्य सर्वदाऽस्तित्वम् १६३ गौणत्वेन सत्ताग्राहकः शुद्धद्रव्यार्थिकः, यथा द्रव्यं नित्यम् इति । अत्र हि 'सत्ता' इत्यस्य नित्यमस्तित्वमेवार्थः, न तु सत्तामहासामान्यलक्षणं तिर्यक्सामान्यं, 'उत्पादव्ययगौणत्वेन' इत्युक्तेः, यथा द्रव्यं नित्यं इत्यस्योदाहरणस्य चानुपपत्तेः । नन्नेवमप्याद्यनैगमस्य विषयतया 'अस्तित्वं' सिध्यति, न तूर्ध्वतासामान्यमिति चेत् ? न, रहस्यानभिज्ञानात्। इदमत्र रहस्यं - नमस्कार उत्पन्नोऽनुत्पन्नो वा ? इति विचारणायामादिनैगमस्यानुत्पन्न इति कथितम् । तत्साधनार्थं चादिनैगमः सत्तामात्रग्राहीत्युक्तम् । ततश्च यत आदिनैगमो नमस्कारस्य सर्वदाऽस्तित्वमेव गृह्णाति, न कदाचिदपि तस्याभावः नास्तित्वं, अतस्तन्मतेन नमस्कारोऽनुत्पन्न इत्यर्थः प्राप्यते । अर्थात्तन्मतेनासंव्यवहारराश्यवस्थायामपि विवक्षितो जीवो नमस्कारः, शेषस्थावरकायावस्थायामपि नमस्कारः, विकलेन्द्रियावस्थायामपि नमस्कारः, एवमेव देव - नरकादिगतिषु मिथ्यात्वाद्यवस्थायामपि नमस्कार एव । एवञ्च - છે બીજો ઉત્પાદવ્યયને ગૌણ કરીને સત્તાનું ગ્રહણ કરનાર શુદ્ધદ્રવ્યાર્થિકનય છે, જેમકે દ્રવ્ય નિત્ય છે. અહીં ‘સત્તા'નો અર્થ નિત્ય અસ્તિત્વ જ છે, નહીં કે સત્તામહાસામાન્યરૂપ તિર્યક્સામાન્ય, કારણ કે ઉત્પાદ-વ્યયને ગૌણ કરવાનું જણાવ્યું છે. (જો તિર્યક્સામાન્ય લેવાનો અભિપ્રાય હોત તો વિશેષોને ગૌણ કરવાનું જણાવત.) અને (૨) જેમકે ‘દ્રવ્ય નિત્ય છે' આવું ઉદાહરણ જે આપેલું છે તે પણ અસંગત ઠરી જાય. (જો સત્તામહાસામાન્યનો અભિપ્રાય હોત તો જેમકે નીવ: સન્ આવું કાંઈક ઉદાહરણ આપત.) શંકા - છતાં, આ રીતે તો આદ્યનૈગમના વિષય તરીકે અસ્તિત્વ સિદ્ધ થયું, ઊર્ધ્વતાસામાન્ય ક્યાં સિદ્ધ થયું ? Jain Education International = સમાધાન રહસ્યને ન જાણી શકવાથી તમે આવી શંકા કરો છો. અહીં આ રહસ્ય છે-નમસ્કાર ઉત્પન્ન છે કે અનુત્પન્ન? એની વિચારણામાં આદિનૈગમને અનુત્પન્ન છે, એમ કહ્યું છે અને એ સાબિત કરવા માટે ‘આદિનૈગમ સત્તામાત્રગ્રાહી છે' એમ કહ્યું છે. એટલે, આદિનૈગમ નમસ્કારના સર્વદા અસ્તિત્વને જ જુએ છે, ક્યારેય પણ તેના અભાવને=નાસ્તિત્વને જોતો નથી, માટે એના મતે ‘નમસ્કાર અનુત્પન્ન છે' એવો અર્થ મળે છે. અર્થાત્ એના મતે અવ્યવહા૨ાશિઅવસ્થામાં પણ વિવક્ષિત જીવ નમસ્કાર છે, શેષસ્થાવરઅવસ્થામાં પણ નમસ્કાર છે, વિકલેન્દ્રિય અવસ્થામાં પણ નમસ્કાર છે... એ જ રીતે દેવ-નરકાદિગતિમાં પણ મિથ્યાત્વાદિ અવસ્થામાં પણ એ નમસ્કાર છે જ. આમ બધી જ અવસ્થાઓમાં એ નમસ્કાર જ છે, ક્યારેય પણ અનમસ્કાર નથી, કારણ કે જો એ ક્યારેય પણ અનમસ્કાર હોય તો એ વખતે નમસ્કાર નાસ્તિ બની જાય. - = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy