SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પર હાથ પકડ્યો. ઉદ્ધાર કર્યો (પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી વિજય ભુવનભાનુ-ગુણાનંદસૂરીશ્વરજીનું ઋણ સ્મરણ) સંસારના ચોગાનમાં રખડતો, કૂટાતો, ભટકતો, રઝળતો, રીબાતો, અથડાતો, ટીચાતો, ટેલ્લે ચઢતો, ઠેબા ખાતો, એક જીવડો એટલે ઉપમિતિ ગ્રન્થમાં શ્રી સિદ્ધર્ષિ ગણિએ વર્ણવેલો પેલો રાંકડો કે જેને “હું કોણ છું ?” એની સૂઝબુઝ પણ નહોતી. એક ધન્ય દિવસે-પળે વાત્સલ્યના મહાસાગર, કૃપાળુ, કરુણાળુ, નેહાળુ, દયાળુ, મમતાળુ એવા ધર્મબોધકરની કરુણાભીની નજર અતિ નિકૃષ્ટ એવા એ રાંકડા પર પડી. અસંબંધ બાંધવ એવા એમણે રાંકડાનો ઉદ્ધાર કરવાની નેમ લીધો. રાંકડાનો હાથ પકડી લીધો. વાત્સલ્યથી એને ત્વવરાવી દીધો. સન્માર્ગના વાઘા પહેરાવ્યા. રે, સર્વવિરતિનો માશુક બનાવ્યો. કોણ હતા એ ધર્મબોધકર? એ અસહાયસહાય કોણ ? એ પરમ કરુણામૂર્તિ કોણ ? જેમની યાદમાં દેહ રોમાંચિત બને છે. જેઓના દર્શને આંખો પુલકિત બને છે, જેમનું નામ રટતા વાણી ગદ્ગદ્ થાય છે. એવા સ્વનોમ ધન્ય એ મહાપુરૂષ હતા પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ આચાર્ય-શિષ્ય એવા વિદ્વધર્મ, અધ્યાપન કુશલ, જિનવચન મર્મજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ગુણાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પેલો રાંકડો એટલે કોણ ? હું પોતે જ. - પૂજ્ય આચાર્યશ્રીએ સંસારની અસારતાનું ભાન કરાવ્યું, વૈરાગ્ય રસનું પાન કરાવ્યું, આત્માની ગુણ તેજોમયતા બતાવી, કર્મોની ભયાનકતા સમજાવી, પોતાના અપાર પ્રેમ-વાત્સલ્ય સ્નેહથી મને ત્વવરાવી દીધો. સર્વ વિરતિની સન્મુખ કરી દીધો. પણ ફૂટેલું નસીબ મારું કે અચાનક એ કરુણામૂર્તિએ આ જગતમાંથી ચિરવિદાય લીધી. મધદરિયે હું ખેવૈયા વિનાનો બની ગયો. જીવનમાં ઘોર અંધકાર છવાયો, હું દિમુઢ બની ગયો. ત્યાં જ, અંધકારમાં દીવો પ્રકાશી ઉઠ્યો, રણમાં મીઠા પાણીની પરબ લાધી, દરિયામાં નાવ મળ્યું, રોગમાં વૈદ્યરાજ સાંપડ્યા, ભટકતા આશરો મળ્યો, દુષ્કાળમાં કલ્પતરું ફળ્યો. પૂજ્યપાદ વિરાગસમ્રાટ, કરૂણાપુંજ, ત્યાગમૂર્તિ, સકલહિતચિંતક, ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે મને સંભાળી લીધો, જીવનની ડૂબતી નૈયાની ઉગારી લીધી. મને દીક્ષા આપી, મને નવું જીવન આપ્યું. ઓ ગુરૂદેવ ! આપ ગુણ ગરિમ હતા. આપે આપના જીવનકાળમાં કેવા જબરદસ્ત ગુણો સાધ્યા હતા. હું તો કમનસીબ કે વધુ વર્ષ આપના જીવનના ગુણ વૈભવને માણી ન શક્યો. પણ વડિલોના મોઢે આપને ઘણા સાંભળ્યા છે અને આપની સાથેના મારા અત્યલ્પ સહવાસ દરમ્યાન આપશ્રીના ગુણોને ઘણીવાર નીહાળ્યા છે. મારું માથું વારંવાર ઝૂકી પડ્યું છે. એક ઉચ્ચ સાધકની અદાએ આપ મને દેખાયા છો. આપના ગુણ ખજાનામાંથી માત્ર જ્ઞાન ગુણની વાત કરીએ તો આપે એ ક્ષેત્રે કમાલ કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy