SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० भवदर्थमेवेहानीय मुक्तं येन तद्गृहे न गृह्णन्ति भवन्त इत्यादि । ततः साधुना अविशोधिकोटिविशोधिकोटिदोषो विचिन्तनीयः। तत्र यत्यर्थं वस्त्रस्य तणणं विणणं च मूलगुणाः । ‘अविसोहिकोडि'त्ति । तथा पूर्वोपभुक्ते वस्त्रे दर्शिते प्रष्टव्यं किमेतदासीदिति। ततो दाता वक्ति नित्यनिवसनं यद्वा मज्जनवस्त्रं यद्वा राजदौवारिकं यद्वोत्सववस्त्रमिदममुकस्येति । एवं च सति दर्शितवस्त्रसदृशं वहमानमन्यदपि दातुर्यद्यस्ति ततस्तद्गृह्यते, इतरथा गृही अन्यदुत्पादयेत्, क्रीणीयाद्वेति । अपरिभुज्यमानेऽपि च दर्शिते किमत्र भविष्यति, क्व च स्थाने इदमासीदिति प्रष्टव्यं । ततो दाता यत्कथयति तन्निशम्य तत्सदृशाऽपरवस्त्रसद्भावे तस्य ग्रहणं कर्त्तव्यं, नाऽपरस्याभावे, उत्पादनक्रयणादिदोषभावात् । एवं च कल्पनीयतया निश्चिते सति तद्वयोरप्यन्तयोर्गृहीत्वा सर्वतो दृष्ट्या निरीक्षणीयं । मणेः सुवर्णस्य रूपकादिद्रव्यस्य वा तत्र निबद्धस्य भावात्। गृहस्थोऽपि च वक्तव्यो निरीक्षस्वैतत्सर्वतः। एवं च ભોળપણથી જવાબ આપે કે “આ આપના માટે કર્યું છે', “આપના માટે ખરીદેલું છે.” અથવા “આપના માટે ધોયેલું છે.' વગેરે. અથવા કહે કે “અમુક શ્રાવકે આપનામાટે અહીં લાવીને મૂકી ગયા છે. કારણ કે તેઓના ઘરે આપ ગ્રહણ કરતાં નથી.' [સાધુને વહોરાવવા જતા પરિવારના કોઈપણ સભ્યને અપ્રીતિ થાય તો એવા ઘરેથી સાધુ વહોરે નહિ. ત્યારે વહોરાવવાના ભાવવાળા જે હોય તે છૂપી રીતે બીજા ઘરે આ રીતે મૂકીને વહોરાવવાનું કહે વગેરે. તિ પૂજ્ય ગયોષર ] ત્યારે સાધુઓએ “આ અવિશોધિકોટિ કે વિશોધિકોટિવાળું છે ?” એ વિચાર કરવો. એ વિચાર આ પ્રમાણે છે કે, સાધુ માટે વસ્ત્રના તાણાં-વાણાં કરે એ મૂળગુણ છે. તે અવિશોધિકોટિ છે, પરંતુ શ્રાવક જો ઉપભોગકરેલું વસ્ત્ર બતાવે ત્યારે સાધુએ પૂછવું કે “આ વસ્ત્ર શેના ઉપયોગમાં લેવાતું હતું ? કયા સ્વરૂપે હતું ? જવાબમાં દાતા કહે કે “અમુકનું હંમેશ વપરાશનું આ વસ્ત્ર છે.” અથવા કહે કે “હાવાનું વસ્ત્ર છે' અથવા કહે કે “રાજાના દરબારમાં જતી વખતે પહેરવાનું આ વસ્ત્ર છે.” અથવા કહે કે “ઉત્સવમાં વાપરવાનું આ વસ્ત્ર છે.” તે વખતે બતાવેલ વસ્ત્ર જેવું જ વપરાતું જો બીજું વસ્ત્ર પણ દાતા પાસે, હોય તો તે ગ્રહણ કરાય. નહીંતર દાતા પાસે એકજ હોવાથી તે દાતા બીજું નવું કરાવે અથવા નવું ખરીદે. તેમાં દોષ લાગે છે. જે વપરાયેલું ન હોય એવું વસ્ત્ર બતાડે તો “આ શેના કામમાં આવવાનું છે ? કયા સ્થાને આ હતું?' એવું પૂછવું. ત્યારે દાતા જે જવાબ આપે તેને સાંભળીને તેના જેવું બીજું હોય તો તે ગ્રહણ કરે. પણ જો બીજું ન હોય તો ગ્રહણ ન કરે. કારણ કે જો ગ્રહણ કરે તો શ્રાવક નવું બનાવે કે વેચાતું લે વગેરે દોષ રહેલા છે. આ પ્રમાણે કણ્યતાનો નિશ્ચય કર્યાબાદ તે કપડું = વસ્ત્ર જો મોટું હોય તો ટૂકડે ટૂકડે બન્ને બાજુએથી પકડી, તથા જો વસ્ત્ર નાનું હોય તો બન્ને છેડાથી પકડીને ખૂલ્લું કરીને બરાબર નિરીક્ષણ કરવું. કારણ કે એમાં મણિ-સોનું-ચાંદી વગેરે કદાચ-કોકવાર બાંધેલું હોય એવું બનવા જોગ છે. જો મણિ વગેરે નીકળે તો સાધુએ ગૃહસ્થને પણ કહેવું કે “તમો આનું બરાબર નિરીક્ષણ કરી લો.” એમ કરતાં = ગૃહસ્થ પોતે જોવા જતાં જો તેમાં મણિ વગેરે દેખાઈ જાય તો સારું. પણ જો ન દેખાય તો સાધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy