SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ २३६ जहा एयाए ताव वडवाए पुच्छिमो गब्भं । जइ जाणिही निमित्तेण, गुज्झतिलउ बिईयाए ।।१९।। तो नाओ तेणं चिय होही, तो हं न किंचि एयस्स । उववायं पकरिस्सं, अह नो जाणिही इयं गब्भं । ।२०।। तो तिलओ विहु नाओ अकज्जायरणओ न नाणेण । तो एयं मारिस्सं निब्भंतं भणइ तो एसो ।।२१ ।। रोसेण फुरफुरितो भो भो पव्वइयग ! मह इमीए । वडवाए जं गब्भं चिट्ठइ तं कहसु नाऊणं ।।२१ ।। तेण भणियं किसोरो पंचहिं पुंडेहि संजुओ अत्थि। पच्चयहेउं तीए पोर्टे फालावियं तेण ।।२२ ।। दिढे तारिस उच्चिय जारसिओ अक्खिओ सो किसोरो । तं दटुं तस्स तओ कोवोवसमो समणुजाओ ।।२३।। भणिओ साहू तेणं जह एयं सव्वयं जइ न हुन्तं । तो तुह उदरं एयं फालावितो अहं नियमा ।।२४ ।। तम्हा जाईण(णीय)मेयं इहपरलोए अणत्थकरणखमं । नो कहवि अनुन्नायं जिणेहि काउं(?)हिएसीणं ।।२५ ।। ननु साधोर्वधादिकं न किञ्चिज्जातमिति तस्य करणे को दोषः ? उच्यते, वडवादि-घातादयो दोषा अंत्रापि जाता एव। तथा ये च पञ्चपुण्ड्रकिशोरकादिपरिज्ञानेन परस्य प्रत्ययमुत्पाद्य स्वस्य मारणादिकरणं पारदारिकादिदूषणमुत्तारयिष्यन्ति ते कियन्तो भविष्यन्ति, विरला एवैते स्युः । एवमतीतादिनिमित्तेऽपि भावनीयमिति गाथार्थः ।।६२ ।। ભોજિકે પૂછ્યું, “શું પારખું કર્યું?” સુંદરીએ જવાબ આપ્યો, “સાંભળો, તમારી સાથે પૂર્વે જે પણ ઘટના ઘટી, જે પણ હાસ્યાદિક થયા, જે પણ સ્વમ મારા વડે જોવાયા, તે બધુંય આમણે કહ્યું. એટલુંજ નહિ, મારા ગુપ્ત પ્રદેશમાં તલની વાત પણ કરી છે.” આ વાત સાંભળીને ભોજિકને ઈષ્યવશ અત્યંત ક્રોધ આવ્યો. વિચાર્યું કે “તો પછી આ ઘોડીના ગર્ભ અંગે હું પુછું. જો નિમિત્તથી બીજાનો ગુપ્ત તલ પણ જાણી શકે તો, તે નિમિત્ત દ્વારા અવશ્ય આ વાત પણ એણે જાણવી જોઈએ અને જો એ સાચું હશે તો હું આ સાધુને કોઈ જાતની તકલીફ નહિ આપું. પણ જો એના ગર્ભને જાણશે નહિ તો હું સમજીશ કે ચોક્કસ આ સાધુએ અકાર્ય આચરણ = દુરાચાર દ્વારા જાણ્યું છે, નહિ કે નિમિત્તજ્ઞાનથી, તો હું નિઃશંકપણે આને મારી નાખીશ”. આમ ક્રોધથી ધમધમતો ભોજિકે પૂછ્યું “અરે ઓ ! પ્રવ્રજિત ! મારી આ ઘોડીને જે ગર્ભ રહ્યો છે, તેને કહો = અર્થાત્ એ પુલિંગ છે કે સ્ત્રીલિંગ છે ? અને કેટલા પંડ્ર = ચિહ્ન છે વગેરે. સાધુએ કહ્યું “એના ગર્ભમાં કિશોર = પુલિંગ છે અને પાંચ પુંડથી સંયુક્ત છે.” સાધુની આ વાતનું પારખું કરવા ભોજિકે ઘોડીનું પેટ ફાડ્યું. એમાં એણે એવો જ કિશોર પાંચ પંડવાળો જોયો કે જેવો સાધુએ કહી બતાવ્યો હતો. આ જોઈને તેનો ક્રોધ શાંત થયો અને સાધુને કહ્યું, “જો આ સાચું ન ઠરત તો હું ચોક્કસ તમારું પેટ ફાડી નાંખત.” આ કારણથી આલોક અને પરલોકમાં અનર્થ કરવા સમર્થ એવા આ નિમિત્તકથન દોષને જાણીને પરમાત્માએ હિતૈષીઓને કોઈપણ-રીતે તે કરવાની અનુજ્ઞા આપી નથી. પ્રશ્ન :- આમાં સાધુ-વધ વગેરે તો કાંઈ થયું નથી, તો પછી નિમિત્ત કહેવામાં શું દોષ છે ? જવાબ : જો કે સાધુવધ થયો નથી પરતુ ઘોડીનો ઘાત વગેરે થયો જ છે. તેમજ, “પાંચ પુંડવાળો કિશોર છે” વગેરેનું સજ્જડ જ્ઞાન દ્વારા બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરીને પોતાના મરણઆદિ કરનાર પરસ્ત્રીગમન વગેરે દૂષણો ઉતારી દે એવા સાધુઓ કેટલા હોય છે ? બહુ થોડા = વિરલા જ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy