________________
चतुरिन्द्रियदेवस्य शशशृङ्गकल्पत्वम्
६५ चतुरिन्द्रियदेवत्वधर्मप्रयोज्यप्रयोजनसम्पादकत्वस्याभावमेव सूचयेत् । न च सोऽभाव उपपन्नः, चतुरिन्द्रियदेवत्वस्य शशशृङ्गकल्पस्य केवलकल्पनाविषयस्य वस्तुतोऽवस्तुत्वेन तत्साध्यस्य कस्यचिदपि प्रयोजनस्यासम्भवितया तत्संपादकत्वलक्षणस्य प्रतियोगिनः कुत्राप्यप्रसिद्धत्वात् । इत्थञ्च चतुरिन्द्रियदेवोऽस्ति न वेति प्रश्ने द्वितीयस्य भङ्गस्यानवकाशात्तृतीय एव भङ्गः श्रेयान् । से एतेन - पीतः शङ्खोऽस्ति न वेति प्रश्ने नास्त्येवेत्येवोच्यते शिष्टैः। ततश्च पीतशङ्खलक्षणस्य प्रतियोगिनोऽप्रसिद्धत्वेऽपि तदभावस्य यथा नाशक्यकथनीयत्वं तथैव चतुरिन्द्रियदेवस्याप्रसिद्धत्वेन कुत्राप्यप्रसिद्धस्यापि विवक्षितसम्पादकत्वलक्षणस्य प्रतियोगिनोऽभावस्य नाशक्यकथनीयत्वमिति। न च सुवर्णादावन्यत्र प्रसिद्धस्य प्रतियोगिनः શશશૃંગતુલ્ય કેવલકલ્પનારૂપ એવો ચઉરિન્દ્રિયદેવત્વરૂપ ધર્મ વસ્તુત: અવસ્તુ હોવાથી તેનાથી સાધ્ય હોય એવું કોઈ પ્રયોજન જ સંભવતું નથી. અને એ સંભવતું નથી, માટે એનું સંપાદકત્વ પણ સંભવતું નથી. આમ, પ્રતિયોગી એવું સંપાદકત્વ અપ્રસિદ્ધ હોવાથી સંપાદકત્વાભાવ કહેવો સંગત ઠરતો નથી. એટલે, શક્ર એ ચઉરિન્દ્રિયદેવ છે? એવા પ્રશ્નના જવાબમાં બીજો ભંગ ઉચિત ન હોવાથી ત્રીજો ભંગ જ ઉચિત છે.
પૂર્વપક્ષઃ “પીળો શંખ હોય કે નહીં?” આવા પ્રશ્નના જવાબમાં શિષ્ટપુરુષો “ન જ હોય” આવો જવાબ આપે છે. એટલે જણાય છે કે પીળો શંખરૂપ પ્રતિયોગી અપ્રસિદ્ધ હોવા છતાં એનો અભાવ કહી શકાય છે. તો એ રીતે વિવક્ષિત સંપાદકત્વ ભલે ને અપ્રસિદ્ધ હોય, એનો અભાવ કહેવો કાંઈ અસંગત નથી.
શંકા- પીળા શંખનો અભાવ જે કહેવાય છે એમાં ખરેખર સર્વત્ર અપ્રસિદ્ધ એવા પીતશંખનો અભાવ જણાતો નથી, પણ અન્યત્ર (સુવર્ણાદિમાં) પ્રસિદ્ધ એવા પીતત્વનો (કે પીતત્વના સંબંધનો) શંખમાં અભાવ જણાય છે. શ્રી વિશેષાવશ્યકભાષ્ય (૧૫૭૪)માં કહ્યું છે કે – અસત્ પદાર્થનો નિષેધ હોતો નથી, જે એવો વચનપ્રયોગ થાય છે તે) સંયોગાદિના પ્રતિષેધ (નિષેધ)થી સંગત થાય છે. આ સંયોગાદિ ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org