SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ માનો, તો વધારાનો અભાવ ન માનવો પડે તો પણ વધારાની પ્રતિયોગિતા તો માનવી પડશે જ. એટલું ગૌરવ તો થશે જ. એટલે, વૃજ્યનિયામક સંબંધને, અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક ન માનવો જોઈએ, એવું નવ્યો માને છે. अस्त्वेतद् गौरवम्-उपदर्शितबहुविधलाघवेनेदृशगौरवस्याकिं - चित्करत्वात् । ગ્રંથકાર : ભલે તે ગૌરવ થતું. બતાવેલા ઘણાં લાઘવની સામે આ ગૌરવ તો કંઈ નથી. વિવેચનઃ પૂર્વે (મુદ્દા નં. ૧૯)માં બતાવ્યા મુજબ, પ્રાચીન મતે દ્વિતીયાર્થ ફળ અને ધાત્વર્થ વ્યાપાર માનવામાં ઘણું લાઘવ છે. જ્યારે વધારાની પ્રતિયોગિતા માનવાનું ગૌરવ તો તેની સામે ઘણું નાનું છે, તેથી કોઈ વાંધો નથી. એટલે, જનકત્વ રૂપ વૃનિયામક સંબંધને અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક સ્વીકારીને દ્વિતીયાર્થ ફળ માનીને પણ તે નચ્છતિ સ્થળે શાબ્દબોધની ઉપપત્તિ કરી શકાય છે, એ પ્રાચીનોનો આશય છે. ૨૨. अथ फलस्य द्वितीयार्थत्वे वृत्त्यनियामकसंबन्धस्याभावप्रतियोगिता वच्छेदकत्वेऽपि 'द्रव्यं गच्छति न गुणम्' इत्यादौ गुणादिनिष्ठस्य संयोगादिरूपफलस्याप्रसिद्ध्या नजान्वयबोधानुपपत्तिरिति चेत् ? નવ્યો : દ્વિતીયાર્થ ફળ માનો અને વૃનિયામક સંબંધને અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક માની લો તો પણ, દ્રવ્ય જીત ન ગુમ સ્થળે, ગુણનિષ્ઠ સંયોગ રૂપી ફળ જ અપ્રસિદ્ધ હોવાથી, નન્ના અર્થ અભાવના અન્વયની અનુપપત્તિ થશે જ. વિવેચનઃ વૃજ્યનિયામક સંબંધને પણ અભાવ પ્રતિયોગિતાનો અવચ્છેદક માનીને પૂર્ષિ છત મદીદ સ્થળે આપત્તિ દૂર કરી, તો પણ “દ્રવ્ય નર્જીત ન ગુમ' સ્થળે આપત્તિ આવશે. કારણ કે પ્રાચીન મતે દ્વિતીયાર્થ ફળમાં પ્રકૃત્યર્થનો વૃત્તિતા સંબંધથી અન્વય કરવાનો હોય છે. પણ અહીં તો પ્રકૃત્યર્થ ગુણનો, વૃત્તિતા સંબંધથી દ્વિતીયાર્થ ફળ સંયોગમાં વ્યુત્પત્તિવાદ ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy