________________
જો ધાત્વર્થંકદેશ અલૌકિક વિષયિતામાં દ્વિતીયાંતાર્થ ઘટનિરુપિતત્વનો અન્વય કરવામાં આવે તો, ઘટનિરૂપિત-અલૌકિક વિષયિતાશૂન્ય ચાક્ષુષ તો ચૈત્રમાં છે જ, અને તાદશ ચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ અને ઘટવિષયકત્વ બંને હોવાથી ઉભયાભાવ નહીં મળે અને “ચૈત્ર: ધર્ટ 7 પશ્યતિ' પ્રયોગની આપત્તિ નહીં આવે. તેથી હવે બીજી આપત્તિ આપે છે. ચૈત્રને તહેવાય ધટ: એવું પ્રત્યક્ષ થાય, ત્યારે તત્ નો વિષય પણ ઘટ છે. જેનું જ્ઞાનલક્ષણા સંનિકર્ષથી અલૌકિક ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. (અતીતઘટ સાથે ચક્ષુસંનિકર્ષ શક્ય ન હોવાથી લૌકિક પ્રત્યક્ષ નથી થઈ શકતું.) આમ આ પ્રત્યક્ષમાં ઘટનું લૌકિક અને અલૌકિક બંને પ્રત્યક્ષ થાય છે. એટલે તે પ્રત્યક્ષમાં ઘટનિરુપિત લૌકિક અલૌકિક ઉભય વિષયિતા રહે છે. એટલે ઘટનિરૂપિત અલૌકિક વિષયિતા શૂન્ય ચાક્ષુષ તરીકે ચૈત્રનું ચાક્ષુષ નહીં લઈ શકાય. અને ત્યારે પણ મૈત્રાદિને થયેલા ઈટએવા ઘટનિરૂપિત અલૌકિક વિષયિતા શૂન્યચાક્ષુષમાં, ચૈત્રવૃત્તિત્વ ન મળવાથી, ઉભયાભાવ મળી જશે અને ચૈત્રો ધરં ન પશ્યતિ પ્રયોગની
આપત્તિ આવશે. જ્યારે વાસ્તવમાં તે ઘટ જોઈ જ રહ્યો છે. શંકા ઘટના લૌકિક પ્રત્યક્ષની સામગ્રી ઘટના જ અલૌકિક પ્રત્યક્ષમાં વિરોધી
છે, અર્થાત એક જ વિષયના લૌકિક-અલૌકિક બંને પ્રત્યક્ષની સામગ્રી એક સાથે ઉપસ્થિત થઈ હોય તો, લૌકિકની સામગ્રી બળવાનું હોવાથી
લૌકિક પ્રત્યક્ષ જ થાય, અલૌકિક પ્રત્યક્ષ થાય જ નહીં. સમાધાનઃ ઘટના લૌકિક ચાક્ષુષની સામગ્રી ઘટના અલૌકિક સ્પાર્શનાદિ પ્રત્યક્ષમાં
પ્રતિબંધક બને, પણ અલૌકિક ચાક્ષુષમાં નહીં. ઉપનાયક જ્ઞાન એટલે જ્ઞાનલક્ષણાસંનિકર્ષથી અલૌકિક પ્રત્યક્ષ થાય ત્યારે સંનિકર્ષ બનતું એવું જ્ઞાન.
૨૬.
आकाशादिनिरूपितालौकिकविषयिताशालिवर्तमानचाक्षुषाद्यंशे घटदिवृत्तित्वस्य आकाशीयत्वादिना लौकिकविषयितायाश्च भ्रमदशायाम् 'घट आकाशं न पश्यति' इत्यादिवाक्याच्छाब्दबोधापत्तेर्दुरित्वाच्च વળી આકાશાદિનિરૂપિત - અલૌકિકવિષયતાશાલિ ચાક્ષુષમાં, ઘટવૃત્તિત્વનો અને આકાશીયત્વેન લૌકિકવિષયિતાનો ભ્રમ થાય. ત્યારે
વ્યુત્પત્તિવાદ ૧૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org