________________
(e)
(૪)
પ્રશ્ન : સપ્તમીનો અર્થ વાચક્તા કરવા માટે શું પ્રમાણ છે ?
ઉત્તર : મુળે શુતાયઃ વુંત્તિ’ આવું એક સૂત્ર છે. તેમાં ગુણ પદની ઉત્તરમાં રહેલ સપ્તમીનો અર્થ વાચકતા કરાય છે, જેથી ‘ગુણવાચક શુકલાદિ પદો પુંલિંગમાં હોય', એવો અર્થ પ્રાપ્ત થાય છે. (ટિપ્પણ : શુકલ વિ. વર્ણવાચક પદો, ગુણવાચક પણ હોય છે, દ્રવ્યવાચક પણ... જેમ કે જીત: વર્ગ માં શુકલ પદ સફેદ રંગ રૂપી ગુણનું વાચક છે અને સુત: પટ :માં શુકલ પદ પટનું વિશેષણ હોવાથી દ્રવ્યવાચક છે. જ્યારે તે દ્રવ્યવાચક બને ત્યારે તો વિશેષ્યવત્ લિંગ થાય જેમ કે શુત પટ, જીત વસ્ત્ર વિ...
જ્યારે તે ગુણવાચક હોય ત્યારે પુલિંગમાં થાય.)
એ રીતે પ્રસ્તુતમાં પણ સપ્તમીનો અર્થ વાચકતા થઈ શકે.
– ગ્રામ.
દ્વિતીયાર્થ કર્મત્વ કર્યો, પણ કર્મ નહિં, કારણ કે દ્વિતીયાર્થ જો કર્મ કરીએ, તો પ્રામં ગતિમાં પૂર્વોક્ત રીતે દ્વિતીયાર્થ થશે કર્મ હવે તેમાં તેના પ્રકૃતિ-અર્થ ગ્રામનો તો અભેદાન્વય થઈ જશે - અર્થાત્ પ્રકૃત્યર્થ = ગ્રામનો, પ્રત્યયાર્થ = દ્વિતીયાર્થ = કર્મ = ગ્રામ = સાથે અભેદ સંબંધથી અન્વય થશે. પણ પછી તેનો (ગ્રામનો) ધાત્વર્થ ગમનક્રિયા સાથે અન્વય જ નહીં થઈ શકે. કારણ કે ગામ અને ગમનક્રિયા વચ્ચે કોઈ સાક્ષાત્ સંબંધ નથી.
જો દ્વિતીયાર્થ કર્મત્વ કરીએ, તો કર્મત્વ
ક્રિયાજન્યફલશાલિત્વ,
ગ્રામનો દ્વિતીયાર્થ
=
ગમનક્રિયા જન્ય ફળ = ઉત્તરદેશસંયોગ. તચ્છાલિત્વ= ગ્રામસંયોગવત્ત્વ. હવે પ્રકૃત્યર્થ ગ્રામસંયોગવત્ત્વમાં સ્વવૃત્તિતા સંબંધથી અન્વય થશે, કારણ કે સંયોગવત્ત્વ ગ્રામમાં રહ્યું છે. અને દ્વિતીયાર્થ ગ્રામસંયોગવત્ત્વનો ધાત્વર્થ ગમનક્રિયામાં જનકત્ત્વ સંબંધથી અન્વય થશે, કારણ કે ગમનક્રિયા, ગ્રામસંયોગની જનક છે. અહીં કદાચ કોઈ એમ કહે કે, દ્વિતીયાર્થ કર્મ જ માનો અને તેનો ગામ સાથે અભેદાન્વય થયા પછી પણ ધાત્વર્થ = ગમનક્રિયામાં, તેનો સ્વવૃત્તિફલજનકત્વ સંબંધથી અન્વય થશે, કારણ કે ગ્રામમાં રહેલ ફળ (ગ્રામસંયોગ)ની જનક ગમનક્રિયા છે જ.
-
Jain Education International
=
=
=
તો કહે છે કે તેવા પરંપરા સંબંધથી અન્વય માનવામાં ગૌરવ છે. જો દ્વિતીયાર્થ કર્મત્વ કરીએ તો ધાત્વર્થ ગમનક્રિયામાં તેનો અન્વય જનકત્વ સંબંધથી જ થશે, તેમાં લાઘવ છે.
વ્યુત્પત્તિવાદ * ૨
For Private & Personal Use Only
www.jainelibrary.org