SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાનો અભિપ્રાય આપે છે. બીજાઓ, જેઓ પરેશને બધી રીતે ઓળખે છે - ઘરમાં કેવો...બજારમાં કેવો...શું ખાય છે...શું પીએ છે, ધંધામાં બીજાની સાથે બહારથી મીઠો પણ અંદરથી છેતરપિંડીનો વ્યવહાર રાખે છે કે નહિ ? વગેરે વગેરે અનેક રીતે ઓળખે છે. એટલે એ લોકો રમેશના પરેશ સમ્બન્ધી જ્ઞાન કે અભિપ્રાયને પ્રમાણભૂત માનતા નથી. કારણ ? રમેશનું પરેશ વિશેનું જ્ઞાન અત્યંત અધુરું છે, અત્યંત અલ્પાંશે છે, એટલે એવું અલ્પાંશ સ્પર્શી જ્ઞાન લોકમાં પ્રમાણભૂત મનાતું નથી. તો એ રીતે કેવળજ્ઞાન સિવાય બીજા બધા જ સાચા જ્ઞાન વસ્તુના અંશ (કે અંશો) માત્રને સ્પર્શે છે પણ સર્વાંશે સ્પર્શતા નથી, માટે સર્વાંશે પ્રમાણભૂત નથી. જે જ્ઞાન, વસ્તુ-અંશ-સ્પર્શી હોય તેને નયજ્ઞાન કહેવાય પણ પ્રમાણજ્ઞાન શી રીતે કહેવાય ? સ્યાદ્વાદીના મતે પ્રમાણજ્ઞાન કેવું હોય ? (કેવળજ્ઞાન સિવાયની આ વાત છે. એમાં ગૌણ-મુખ્ય ભાવ હોતો નથી) જે જ્ઞાન મુખ્યપણે વસ્તુના એક-બે અંશ ને સ્પર્શતું હોવા છતાં વસ્તુના અન્ય સર્વ અંશોને ગૌણપણે પણ સ્વીકારે તો તે પ્રમાણભૂત કહેવાય. લૌકિક દર્શનવાદીઓ ‘નભં શીતમ્’ આ જ્ઞાનને પ્રમાણ માને છે. પણ જૈનમતે આ જ્ઞાન નયજ્ઞાનરૂપ છે. જ્યારે ‘સ્વાદ્ નનં શીતમેવ' આવું જ્ઞાન એ જૈનમતે પ્રમાણભૂત છે. વ્યાજ: ા વ્ લૌકિક પ્રમાણભૂત ા: હ્રા: જૈનમતે નયજ્ઞાન વ્યા: હ્રષ્ણ Ç જૈનમતે દુર્નય સ્વાત્ ા: હ્રા ડ્વ જૈનમતે પ્રમાણભૂત જ્ઞાન. ‘સ્યા’ - એ રીતે જે જ્ઞાન કરવામાં આવે છે એમાં શ્યામત્વ સિવાયના બીજા બધા અનંતા ધર્મોને પણ ગૌણપણે સ્પર્શવામાં આવે છે - તેથી આ જ્ઞાન અધુરું ના કહેવાય - એક રીતે પૂર્ણ કહેવાય. માટે ‘સ્વાત્ ાજ: બ્ન વ' એ જ્ઞાન પ્રમાણભૂત છે. સ્યાદ્ શબ્દ અન્ય અંશોની સાપેક્ષતાસૂચક અવ્યય છે. ૪૪ Jain Education International For Private & Personal Use Only ၁ ၁ ၁ ၁ www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy