SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જન્ય વ્યાપાર શબ્દ વપરાય છે. ન્યાયની ભાષામાં વ્યાપારની વ્યાખ્યા तद्जन्यत्वे सति तद्जन्यजनकत्वम् = तद्व्यापारत्वम् પ્રશ્ન – વ્યાપાર કોને કહેવાય? (પ્રતિનિધિ કોને કહેવાય ?) જવાબ – તે કારણના વ્યાપાર (પ્રતિનિધિ)માં બે ધર્મો હોવા જોઈએ. A તન્નીત્વ અર્થાત્ વ્યાપાર પોતે તે કારણથી વચલા માધ્યમ તરીકે ઉત્પન્ન થયો હોવો જોઈએ. B તન્ન્નનનમ્ અર્થાત્ તે કારણથી જન્ય જે મુખ્ય કાર્ય તેનો જનક વ્યાપાર હોવો જોઈએ. કારણ... ચક્રની ભ્રમણક્રિયા તે દંડનો દંડ, વ્યાપાર છે. કેમકે દણ્ડનું મુખ્ય કાર્ય ઘટ છે. તેની જનક જે ભ્રમણક્રિયા તે પણ દંડથી જન્ય છે. એટલે ભ્રમણક્રિયા A દંડજન્ય છે, કાર્ય ઘટ B દંડજન્ય ઘટની જનક ચક્રભ્રમણ ૨ ( 2) | (જનની) છે. તેથી ભ્રમણક્રિયામાં અન્યત્વે સતિ વધુન(યટ)નત્વમ્ આ પ્રમાણે વ્યાખ્યા ઘટી શકે છે, તેથી દંડનો વ્યાપાર ભ્રમણક્રિયા થઈ. ૨૫માં પાઠની ભૂમિકા આ વ્યાપાર કારણનો કાર્ય સાથેનો સમ્બધ જોડવાનું કામ કરે છે. (કારણતા અવચ્છેદક સમ્બન્ધ) કોઈપણ ભાવકાર્ય પોતાના ઉપાદાનકારણભૂત અવયવોમાં સમવાયસમ્બન્ધથી ઉત્પન્ન થાય. દા.ત. મૃપિડ (કપાલ)માં સમવાયસમ્બન્ધથી ઘટ કાર્ય ઉત્પન્ન થાય છે. એટલે અહીં કાર્યતા સમવાયસમ્બન્ધથી કહેવાય. કાર્ય જે સમ્બન્ધથી ઉત્પન્ન થાય તે કાર્યતાવચ્છેદકસમ્બન્ધ કહેવાય : ઘનિષ્ઠકાર્યતાનો અવચ્છેદક સમ્બન્ધ સમવાય થયો. અથવા સમવાયસમ્બન્ધાવચ્છિન્ન ઘનિષ્ઠ કાર્યતા. આ કાર્યતાથી કપાલમાં રહેલી કારણતા નિરૂપિત છે કેમકે બન્ને એક બીજાને સાપેક્ષ છે. તેથી સમવાયસમ્બન્ધાવચ્છિન્ન કાર્યતા નિરૂપિત કારણતા કપાલમાં છે. જનક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy