________________
સમવાય સમ્બન્ધના જ્ઞાનને કારણ માનીએ તો કોઈ એક ફલ કે કોઈ એક ઝાડમાં પણ દ્વિત્વ કે ત્રિત્વ સંખ્યાનું ભાન થવાની આપત્તિ ઊભી થશે - કેમ કે સમવાય સંબન્ધથી દ્વિત્વ સંખ્યા કે ત્રિત્વ સંખ્યા (ગુણ) પ્રત્યેક ફળ કે ઝાડમાં મોજુદ છે.
અહીં એવો સમ્બન્ધ લેવો પડશે કે જે સમ્બન્ધથી દ્વિત્વ / ત્રિત્વ સંખ્યા રહે તો બે કે ત્રણ દ્રવ્યમાં જ રહે પણ એક દ્રવ્યમાં રહે જ નહીં. અર્થાત્, દ્વિત્વ વગેરે સંખ્યા પોતાના બે વગેરે આધારમાં જ પર્યાપ્ત થઈને રહે એવો સમ્બન્ધ માનવાનો હોય તો ‘પર્યાપ્તિ’ નામનો સમ્બન્ધ કલ્પી લેવો જોઈએ. ફલિતાર્થ, પર્યાપ્તિ સંબન્ધથી દ્વિત્ય બે આધારમાં જ ભાસે, પર્યાપ્તિ સંબન્ધથી ત્રિત્વ ત્રણ આધારોમાં જ ભાસે, એક બે આધારમાં નહીં ભાસે. એટલે એક જ વસ્તુને અનુલક્ષીને સમવાય સમ્બન્ધથી ‘આ બે - આ ત્રણ' આવી વિશિષ્ટ બુદ્ધિ થવાની આપત્તિ લગાવી શકાય પણ પર્યાપ્તિ સમ્બન્ધથી સંખ્યા વગેરેની વિશિષ્ટ બુદ્ધિ થવાનું માનીએ તો એક વસ્તુને આશ્રયીને ‘આ-બે આ-ત્રણ' આવી અનિષ્ટ બુદ્ધિની આપત્તિ નહીં લાગે, કેમ કે પર્યાપ્તિ સમ્બન્ધથી દ્વિત્વ સંખ્યા તેના બે આધારોમાં જ પર્યાપ્ત થઈને રહી શકે, નહીં કે પ્રત્યેકમાં સમ્બન્ધના બીજી રીતે બે પ્રકાર ૨. વૃત્તિ અનિયામક
૧. વૃત્તિનિયામક
A વૃત્તિ = આધારતા એનું નિયમન | A જ્યાં સમ્બન્ધ હોવા છતાં આધાર - અર્થાત્ બોધન કરે એવો જે સમ્બન્ધ | આધેય ભાવની પ્રતીતિ ન થાય ત્યાં એ તે વૃત્તિનિયામક. સમ્બન્ધ વૃત્તિઅનિયામક કહેવાય. B દા.ત. જમીન ઉપર પડેલા પાણી ઉપર ઊંધો ઘડો. અહીં ઘડા અને પાણી
B દા.ત. જલવાનું ઘટઃ અહીં સંયોગસમ્બન્ધથી ઘટમાં જલની આધારતા પ્રતીત થાય છે માટે અહીં | નો વૃત્તિનિo સંયોગસમ્બન્ધ છે.
C સમવાયસમ્બન્ધ વૃત્તિનિયામક છે તેથી રૂપવાન ઘટઃ અહીં ‘રૂપનો આધાર ઘડો' એવી પ્રતીતિ થાય છે
એમ ને હંસ એક ટીમ સ 88 888 88 8
Jain Education International
સંયોગ હોવાથી ઘડો જલવિશિષ્ટ છે. પણ બે વચ્ચે આધાર - આધેયભાવની પ્રતીતિ ન થવાથી. અર્થાત્ જલવાન્ ઘટઃ એવી બુદ્ધિ થતી ન હોવાથી આ સંયોગ વૃત્તિઅનિયામક | કહેવાય.
C નિરૂપશ્ર્વ વગેરે સંબંધો પણ વૃત્તિ - અનિયામક ગણાય છે.
કચ્છ ન ક ક ક 8
૨૬ ૧૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org