________________
પદાર્થને મગજમાં ઠોસ બેસાડવા માટે ઊહાપોહ આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. વતિતતિષ્ઠપતીર્થ: સીજ્ઞાનાયાસંમતિ (આવ. નિર્યુ. ટીકા) ની શાસ્ત્રપંક્તિ આ વાતની સત્યતા અને તથ્થતામાં સાક્ષિનો સૂર પૂરાવે છે. સામાન્યદ્રષ્ટિએ ચાલના (=પ્રશ્નોત્થાન) એ શિષ્યનો વિષય છે જ્યારે પ્રત્યવસ્થાન (=ઉત્તરદાન) એ આચાર્યની અવધિમાં આવે છે. ક્યારેક શિષ્યની પ્રજ્ઞા પ્રશ્ન ઊઠાવવા જેટલી તીવ્ર ન પણ હોય. તેવા સંજોગોમાં આ કામગિરિ પણ આચાર્ય બજાવે છે. ('હં વપુ ત કાર્યર') ન્યાયવિશારદ વર્ધમાન તપોનિધિ સ્વ. ગુરૂદેવ શ્રીમદ્વિજય-ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની આ એક વિરલ લાક્ષણિકતા હતી કે તેઓ વાંચવા બેસે કે લખવા, ભણાવતા હોય કે વ્યાખ્યાન કરતા હોય, તર્કના ઇંજેકશન સાથે લઇને જ બેસતા. * શ્રી ઋષભદેવ ભગવાને બાહુબલીમુનિને સમજાવવા બહેન
સાધ્વીજીઓને એક વર્ષ પછી જ કેમ મોકલી? હેલી કેમ નહીં? * મરીચિએ ગર્વ ર્યો તે અરિહંતપણું મળવાનું જાણીને કારણે તેના ર્યો.
તેમાં નીચગોત્ર કર્મ શું બંધાયું ? * ગણધરોને પ્રભુએ પહેલા ચારિત્ર આપ્યું અને પછી ત્રિપદી આપી.
આવું કેમ ? * “નમો અરિહંતાણમાં નમો’ મુખ્ય કે “અરિહંત'? * મૃત્યુ વખતે કેવી દશા થશે તેની ચિંતા વળી અત્યારથી શા માટે
કરવી ? * આંબામાંથી આંબો પાકે ને બાવળમાંથી બાવળ પાકે, તો પછી સારા
બાપનો છોકરો ખરાબ કેમ પાકે ? * ભગવાનની દ્રવ્યપૂજાને બદલે સામાયિક કરવી એ વધુ ઉચ્ચ આરાધના
ન કહેવાય ? * ભગવાનને પ્રદક્ષિણા આપવાની શી જરૂર? * આપણા કર્મથી બીજાની બુદ્ધિ બગડે ખરી ? * જડ પાષાણની મૂર્તિ પૂજનીય શી રીતે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org