________________
નહિ, પછી શાનું જોવાનું ? ત્યારે દીક્ષા લીધા પછી પ્રભુને ભિક્ષા નથી મળતી તો અફસોસી પણ શાની થાય કે ‘અરેરે ! કેમ મેં દીક્ષા લેતા પહેલા લોકોને ન શિખવાડ્યું ? કે સાધુને આવી આવી ભિક્ષા ખપે, અફસોસી ન થવાનું કારણ
આ જ કે દીક્ષા લીધા પછી સાધના શી થઇ રહી છે એ તરફ મનની ચોંટ હતી, પણ સગવડ કેટલી મળી કે મળે છે કે નહિ એ ઉપર મનની ચોંટ જ ન્હોતી. ભિક્ષા ન મળી તો તપ સાધનામાં વૃદ્ધિ થઇ તે સારૂં થયું, આ દ્રષ્ટિ હતી.
પ્ર. પરંતુ એટલું બધું મહિનાઓના મહિના સુધી સાવ ભૂખ્યા તરસ્યા રહી સહન કરવું પડે ત્યાં શું મનને કંટાળીને એમ ન થાય કે હવે આ ક્યાં સુધી સહન કરવાનું ? જો એમ થાય તો એમાં સગવડનું જ લક્ષ્ય આવ્યું ને ?
ઉ. વાર છે, આ તો તીર્થંકર ભગવાન છે, લોખંડી મનના; ને વીતરાગ-સિદ્ધ ન થવાય ત્યાં સુધી સાધના છોડવી નથી, ને સાધનાનું જ લક્ષ્ય જાગતું રાખવું છે, એટલે લક્ષ્ય સગવડમાં જાય જ શાનું ? સગવડમાં જવા શાનું દે ? જેમ સગવડવાળાને એમ થાય કે ‘ક્યાં સુધી સહન કરવાનું ?” તેમ સાધનાવાળાને એમ થાય છે ‘આ જેટલી ક્ષુધા પરિષહ વગેરેની સાધના થતી જાય છે એટલા કર્મ અને કુસંસ્કાર તુટતા જ આવે છે. સહન ક૨વામાં કંટાળો શાનો ?ને ઉદ્વેગ શાનો ?
૧૨૩
જો દ્રવ્યપૂજાથી બારમાં દેવલોક સુધીની સદ્ગતિ મળતી હોય તો શ્રાવકધર્મનાં વ્રત લેવાના જરૂર શી ૨હે ? તેમ ભાવપૂજાથી મોક્ષ મળી શકે તો પછી ચારિત્રધર્મ લેવાની ય શી જરૂર છે ?
જરૂ૨ એટલા માટે છે કે શ્રાવકધર્મનાં વ્રતો અને ચારિત્રધર્મ એ,
Om દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં એટલા ઊંચા ફળ નીપજાવી શકે એવો
પાવ૨ પૂરે છે. પૂજા વ્રત પાલનથી કે અવ્રત ની ભારે અફસોસીથી ભાવભરેલી થાય છે.
જીવનમાં વ્રતનિયમો ન હોય અને એની અફસોસી પણ ન હોય એનો અર્થ એ, કે દિલ વિષયોમાં અત્યંત લુબ્ધ છે.
Jain Education International
૧૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org